________________
૨૩૨
તવાખ્યાન.
-~-~~~~
-
~
દારિક શરીરનું સ્વરૂપ. શુભાશુભ કર્મ દ્વારા બીજી વર્ગણાઓ કરતાં સ્કૂલવર્ગણાઓથી બનેલું અર્થાત્ ઔદારિકનામની વર્ગણાથી જે બનેલું હોય તે દારિક શરીર કહેવાય. જે દિવસથી તે શરીર ગ્રહણ કરવામાં આવે છે, તે દિવસથી સમયે સમયે તેમાં ઉત્પાદ, વ્યય વિગેરે પર્યાયે થયા જ કરે છે. ઉત્પન થવું, વિનાશ થવે, કર્ણ થવું, વધવું, ઘટવું વિગેરે પરિણામે આ શરીરમાં થયા જ કરે છે. તથા આ શરીર ભેદ્ય છે, છેદ્ય છે, દાહ્ય છે, હાર્યું છે અને બીજાં તેવાં નથી. આ શરીર પૂલ વગણાઓથી બનેલું હોઈ કરીને પણ કેટલાએકની અપેક્ષાએ સર્વોત્તમ પુદગલેથી અને કેટલાકની અપેક્ષાએ બહુ ખરાબ પુદ્ગલથી પણ બને છે. આવા પ્રકારનું આદારિક શરીર મનુષ્ય અને તિયને જ હોય છે.
વેકિય શરીરનું સ્વરૂપ,
વિચિત્ર પ્રકારની શક્તિવાળી વૈક્રિયનામની વર્ગણાથી બનેલ શરીર વૈક્રિય કહેવાય. એકનાં અનેક બનાવી શકે, તથા અનેકનાં એક બનાવી શકે, ન્હાનાનું મોટું મેટાનું ન્હાનું, એકમાં અનેક આકૃતિ બનાવવી, અનેકમાં એક આકૃતિ બનાવવી, દશ્ય, અદશ્ય, ભૂમિચર, આકાશમાં ચાલનાર તથા તથા પ્રતિઘાતપણું અને અપ્રતિઘાતપણું વિગેરે અનેક પ્રકારની શક્તિવાળું આ શરીર હોય છે. તેના મુખ્ય બે ભેદે છે. એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org