________________
તવાખ્યાન
કારણ છે. આ ત્રણ કારણ મળવાથી અહિંસાને પ્રાદુભાવ થાય છે અને જ્યારે અહિંસાની ઉપપત્તિ થઈ, ત્યારે તે દ્વારા સત્ય વિગેરે તમામ પગના અંગેની ઉપપત્તિ પણ થવાની. તથા સ્મરણ, પ્રત્યભિજ્ઞાન દેહના સ્પર્શથી વેદનાને અનુભવ વિગેરે કાર્યોની ઉપપત્તિ પણ થવાની. તથા સૂક્ષમનામકર્મના ઉદયથી સૂક્ષ્મ શરીર અને બાદર નામકર્મના ઉદયથી બાદર (સ્થલ) શરીર-અર્થાત દશ્ય શરીરને પ્રાપ્ત કરવું, ધર્મથી ઊર્ધ્વગમન, અધર્મથી અર્ધગમન અને રત્નત્રયથી મોક્ષપ્રાપ્તિ વિગેરે તમામની ઉપપત્તિ કથંચિત નિત્યનિત્ય અને કથંચિત ભિનાભિને પક્ષ માનવાથી જ થવાની. માટે કોઈ પણ જાતની અનુપપત્તિ અમારે ત્યાં છે જ નહિ.
પરિણુમિનું વિવેચન. . * દ્રવ્યરૂપથી અવસ્થિત પદાથે એક પર્યાયથી બીજા પર્યાયની પ્રાપ્તિ કરવી તેનું નામ પરિણામ સમજ. અને તે પરિણામ જેમાં હોય તે પરિણામી કહેવાય. પ્રકૃતિમાં ચૈતન્યશક્તિરૂપ ઉપગથી અવથિત આત્માએ તે તે કર્મના સંબધને લઈને નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે જે જે પર્યાને પ્રાપ્ત કરવા તેનું નામ પરિણામ સમજે. આવા પ્રકારને પરિણામ આત્માને હોવાથી આત્મા પરિણામી કહેવાય છે, તે વાતને નીચેને કલેક પણ ટેકો આપે છે. परिणामो ह्यान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः॥
–ધર્મબિન્દુ પૃષ્ઠ ૧૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org