________________
જૈનદર્શન,
પૂ. અમુક ઘાતક દ્વારા અમુક જીવને મરવાનું છે, એવા પ્રકારને કર્મબન્ધ કરેલ હોવાથી મારનારને હિંસાજન્ય કર્મબન્ધ થવાને જ નહિ, તે પછી હિંસાનું ફળ તેને કેવી રીતે મળવાનું? માટે હિંસાથી કર્મબન્ધ થતું નથી.
ઉદરેક કાર્યની ઉત્પત્તિમાં ત્રણ કારણની આવશ્યકતા જરૂર રહે છે. (૧) ઉપાદાનકારણ (૨) નિમિત્તકારણ અને (૩) કર્તા કારણ. આ ત્રણમાંથી એક પણ ન્યૂન હોય તે કાર્ય થઈ શકે જ નહિ. જેમ ઘટમાં માટી ઉપાદાનકારણ છે, દંડ, ચક વિગેરે નિમિત્તકારણ છે અને કુંભાર કર્તા કારણ છે; તેમ અત્ર પણ હિંસ્યકમને વિપાક ઉપાદાનકારણ છે, મારનાર પિતે કતી કારણ છે અને શાસ્ત્ર વિગેરે સામગ્રી નિમિત્તકારણ છે. આ ત્રણને સમુદાય જ્યારે મળે, ત્યારે જ હિંસારૂપ કાર્યની ઉત્પત્તિ થાય. જ્યાં સુધી એક પણ ઓછું હોય, ત્યાં સુધી તે થઇ શકે જ નહિ. પ્રકૃતમાં હિસ્યકર્મન વિપાકરૂપ ઉપાદાનકારણ હોય, છતાં કર્તા તથા નિમિત્ત કારણને
વ્યાપાર જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી હિંસારૂપ કાર્ય થઈ શકે જ નહિ અને જ્યારે તે કારણેને ઉપયોગ કરવામાં આવે
ત્યારે તે દ્વારા પર્યાયને વિનાશ થવાથી મારનારને જરૂર હિંસા લાગે અને જ્યારે હિંસાની ઉપપત્તિ થઈ, ત્યારે તેના અભાવરૂપ અહિંસા પણ ઘટી શકે. તેને પણ ઉપાય સાથે સાથે બતાવવામાં આવે છે- અહિંસામાં હિંચકર્મને વિયોગ ઉપાદાનકારણ છે અને સદુપદેશ વિગેરે નિમિત્તકારણ છે, તથા નહિ મારવા વિષયક શુદ્ધ અધ્યવસાયે કર્તા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org