SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વાથી શીતળતાને તથા સુગષિપણાના પણ અનુભવ ન થવા જોઇએ. આવા પ્રકારની અનેક વિપત્તિયેા આવતી હાવાથી સ થાભેદપક્ષ ત્યાજ્ય કરવામાં આવ્યે છે, તેમજ સર્વથા અભિન્ન પક્ષ પણ માનવા નહિ. કારણ કે જો શરીરના આત્માની સાથે સર્વથા અભેદભાવ માનવામાં આવે, તા મરણની ઉપપત્તિ થઈ શકવાની નહિ, જ્યારે આત્માના વિચાગ થવાના જ નહિ ત્યારે તેને અભિન્ન એવા શરીરના વિયાગ પણ ક્યાંથી થાય ? અને તે સિવાય મરણ પણ કેવું થવાનુ` ? તથા ભરવા છતાં પણ પરલેાકની ઉપપત્તિ થઇ શકવાની નહિ; કેમકે શરીર અને આત્મા જ્યારે એક જ છે, ત્યારે શરીરના વિનાશ ન થવાથી આત્માના પણ વિનાશ ન થવાને. તેા પછી પરલેાક જનાર બીજી કાણુ ખાકી રહ્યું ? તેના વિચાર કરશે. તથા શરીર દ્વારા કરેલાં શુભાશુભ કર્મીનું ફળ પણ આત્માને મળવાનું' નહિ, કારણ કે તેના વિનાશ સાથે આત્માના પણ જ્યારે વિનાશ થયે, ત્યારે ફળ પણ કોને મળે ? અને લેપક્ષમાં જ્યારે તે અને આપસમાં ભિન્ન જ છે;ત્યારે શરીરે કરેલાં કર્મોનું ફળ આત્માને કેવી રીતે મળી શકે ? આમ બન્ને પક્ષમાં કૃતના નાશ અને અકૃતનું આગમન થવાનું; માટે ઉપર્યુંકત તમામ વિપત્તિયેાથી છાચવાની ખાતર કથાચિત ભેટ્ટાભેદ્યપક્ષ સર્વોત્તમ છે. તે માનવાથી જ હિ’સા વિગેરેની ઉપપત્તિ થવાની. હિંસા થવાના જગમાં મુખ્ય ત્રણ પ્રકાર છે. ( ૧ ) બીજાને પીડા પેદા કરાવાથી, ( ૨ ) શરીર, ઇન્દ્રિયા વિગેરે પ્રાણાના વિનાશ કરવાથી ( ૩ ) તથા હું તેને મારૂં' એવા માનસિક ઘાતક સ'કલ્પથી હિસા ઉત્પન્ન થાય છે. Jain Educationa International તત્ત્વાખ્યાન. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy