________________
૨૧૮
તવાખ્યાન,
જવાની. એમ કહેવાથી આત્માને સર્વથા નિત્ય માનનારાના વિચારો અનાદરણીય છે.
સર્વથા અનિત્યપક્ષમાં પણ જ્યારે કે મનુષ્ય કેઈને મારી નાખે તેને પણ ખૂનની હિંસાનું પાપ લાગવાનું નહિ. કારણકે તેમના મત પ્રમાણે આતમા તે સમયે સમયે પિતાની મેળે મર્યા જ કરે છે અને જન્મ પણ લેતે જ જાય છે. તેમાં
જ્યારે કેઈપણ કારણનું કામ જ નથી, ત્યારે મારનારને હિંસા કેવી રીતે લાગી શકે? કેમકે કઈ કઈને મારનાર પણ નથી, તેમ કેઈ કેઈથી મરતે પણ નથી ત્યારે હિંસા બીચારી લાગે જ કોને? અને તે સિવાય અહિંસા પણ હોય જ કયાંથી?તથા વધ્ય-ઘાતકને, કાર્ય-કારણને વ્યવહાર, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વિગેરે કાંઈ પણ ઘટવાનું નહિ અને તે સિવાય
ગાંગની તે વાત જ શી કરવી અને જ્યારે ગાંગ જ નથી ત્યારે સુરત જેવાએ દીક્ષા ગ્રહણ કરી, વૈરાગ્યવાસના ધારણ કરી, સંસારાવસ્થાના મેજશે અને ત્યાગ કરી કષ્ટાનુષ્ઠાનનું સેવવું તે પણ તદ્દન નકામું જ સમજવું. માટે સર્વથા અનિત્ય આત્મા પણ માન નહિ. કિ તુ પૂર્વ બતાવેલ પ્રકારથી કર્થચિત નિત્યાનિત્યરૂપ જાત્યન્તર માનવે અને તેમાં જ હિંસા વિગેરેની ઉપપત્તિ થઈ શકે છે, તે પણ ખાસ સમજાવવામાં આવે છે–
नित्यानित्ये तथा देहाद् भिन्नाभिन्ने च तत्त्वतः । घटन्त आत्मान न्यायाद्धिसादीन्याविरोधतः ॥
–હારિભદ્રીય અષ્ટક ૧૬, પૃ૦ ૫૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org