________________
૨૧૬
તસ્વાખ્યાન,
પ્રકને ઉપસ્થિત થાય છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે જ્યારે ઘડાને વિનાશની સાથે કઈપણ સંબંધ છે જ નહિ, ત્યારે વિનાશ થાય, તે પણ ઘડામાંથી તે જવાનું જ નહિ, એ તે જે ને તેજ રહેવાને, ત્યારે વિનાશ થવાથી પણ શું થવાનું? માટે પ્રથમ પક્ષથી તે ઈષ્ટસિદ્ધિ થવાની જ નહિ. હવે રહ્યો બીજો પક્ષ, તેમાં પણ જ્યારે ઘડે અને વિનાશ આપસમાં એક જ છે ત્યારે તે વિનાશકારણ-સામગ્રીથી પણ વિનાશ ન થતાં ઘડે જ થયે એમ કેમ ન કહી શકાય ? જ્યારે વિનાશની સાથે ઘડામાં ભેદભાવ તે કંઈ પણ છે જ નહિ, ત્યારે ઘડાને વિનાશ પણ ખાલી કલશની માફક પર્યાયરૂપ થયે. કિંચ જ્યારે વિનાશના હતની સાથે વિનાશને કંઈ પણ લેવા દેવા છે જ નહિ, ત્યારે આપના મતમાં પદાર્થો ક્ષણિક છે, એવી વ્યવસ્થા કેવી રીતે થવાની ? જે કદાચ વિનાશના હેતુ સિવાય સ્વયં વિનાશ થયા જ કરે છે, એમ માનવામાં આવે તે હિંસામાં પણ નિમિત્ત તરીકે કોઈ રહેવાનું નહિ. અને જે કાર્યનું કેઈ નિમિત્ત ન હોય, તે કાર્ય કાં તો નિરંતર રહેવાનું અથવા કદાપિ ન જ થવાનું. સારાંશ–આવી રીતે વિચાર કરતાં હિંસામાં પણ જ્યારે કોઈ નિમિત્ત નથી, ત્યારે તે કાં તે નિરંતર રહેવાની અથવા તે બીલકુલ ઉત્પન્ન થવાની જ નહિ. કેમકે કદાચિત થવાપણું તો કારણને આધીન છે અને આ કારણને તે બિલકુલ માનતા જ નથી, ત્યારે હિંસાની જ ઉપપત્તિ કેવી રીતે થવાની ? અને તે સિવાય અહિંસા વિગેરે યેગના અંગે પણ વધ્યાપુત્ર જેવાં જ થવાનાં. કિંચ આત્માને ક્ષણિક માનવામાં આ વધ્યા છે, આ ઘાતક છે, આ દેવાદાર છે, આ લેણદાર છે,
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org