________________
૨૧૪
તવાખ્યાન,
ઉપપત્તિ કેવી રીતે થવાની? અને જ્યારે હિંસા તેમાં ઘટી શકતી નથી ત્યારે તે તેના અભાવરૂપ અહિંસા પણ ઘટવાની નહિ અને તે સિવાય સત્ય વિગેરે અન્ય ગાંગની તે વાત જ શી કરવી? કેમકે અહિંસા સત્યમાં સાધનરૂપ છે. જ્યારે તે જ નથી, તે પછી સત્ય, વિગેરે ન હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. આમ જ્યારે અહિંસા વિગેરે જ તેમના મતમાં ઘટતાં ન હોવાથી આકાશપુષ્પ સમાન છે, ત્યારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ વિગેરે ભેગના અંગે તે હેાય જ કયાંથી? અપરચ એકાન્ત નિત્યવાદિના મતમાં આસમાની સાથે શરીરને સંબંધ પણ ઘટવાને નહિ, તે પણ સાથે સાથે જણાવવામાં આવે છે–
ફૂટથ નિત્ય આત્માની અંદર શરીરની સાથે સંબંધ માનવામાં બે પ્રીને પુછવામાં આવે છે. શું ફૂટસ્થ નિત્ય આત્મા પૂર્વ સ્વભાવને ત્યાગ કરીને પહેલહેલે શરીરની સાથે સંબંધ કરે છે અથવા ત્યાગ કર્યા સિવાય તેમાં પ્રથમ યક્ષ માનવામાં તે અનિત્યપણું જરૂર આવવાનું, કારણ કે સ્વભાવના ત્યાગનું નામ જ અનિત્યતા છે, અને એ તે આપે વયમેવ સ્વીકારી લીધી માટે પ્રથમ પક્ષ તે આપ માની શકશે નહિ. હવે રહ્યો બીજો પક્ષ, તે માનવામાં તે શરીરની સાથે આત્માને સંબંધ જ સિદ્ધ થવાને નહિ; કારણકે આત્માને શરીરની સાથે સંબંધ કરાવનાર પૂર્વને સ્વભાવ તે જેમને તેમ જ છે. કંઈ પણ ફેરફાર છે જ નહિ. માટે જ્યાં સુધી પૂર્વના સ્વભાવને ત્યાગ ન થાય, ત્યાં સુધી ઉત્તરની સાથે સંબંધ પણ કેવી રીતે થઈ શકે? તે પણ ખાસ વિચારવા લાયક છે. માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org