________________
જૈનદર્શન.
૨૧૩
ઉ૦ અવસ્થાએ અવસ્થાવાળી વ્યક્તિથી ભિન્ન છે કે અભિન? આ બે પ્રશ્ન પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષમાં તે જ્યારે ગર્દભ અને ઉંટની માફક આપસમાં સર્વથા ભેદ માનવામાં આવ્યું ત્યારે તેમાં સંબંધ જ કેવી રીતે થવાને ?
કિંચ, ભિન્નતા જ્યારે સર્વથા સરખી જ છે, ત્યારે તે અવસ્થાએ આત્માની જ છે, ઘડાની નથી; એમ પણ કેવી રીતે કહી શકશે? માટે ભેદપક્ષ તે આપનાથી માની શકાય તેમ છે જ નહિ. હવે રહ્યો અભેદપક્ષ, તેમાં પણ જ્યારે બંને એક જ છે, ત્યારે તે કાં તે અવસ્થામાં રહેવાની યા તે અવસ્થાવાળી વ્યક્તિ રહેવાની. બંને ચીજ તે કદાપિ રહી શકશે જ નહિ, માટે ઉપર્યુક્ત કથનથી પણ ફૂટસ્થ નિત્યતા રહેવાની નહિ.
અપરંચ સુખ-દુઃખને અનુભવ પણ પુણ્ય-પાપદ્વારા સંપાદનીય છે અને પુણ્ય-પાપનું સંપાદન તે અર્થ ક્રિયાને આધીન છે. તે અર્થ ક્રિયા પણ કૂટનિત્યમાં અનુક્રમે થાય છે અથવા યુગપત્ થાય છે? એવા પ્રકારના વિકલને લઈને કદાપિ ઘટી શકવાની નહિ; માટે આપ જ બતાવે કે ફૂટસ્થ નિત્ય આત્મા વધ્યાપુત્રની માફક કઈ રીતે સિદ્ધ થાય તેમ છે ખરો? અર્થાત બીલકુલ નહિ. કિંચ જ્યારે કૂટસ્થ નિયમાં કેઈ પણ પ્રકારની ક્રિયા જ નથી, ત્યારે આત્મા પિતે નિષ્ક્રિય થવાને અને જ્યારે પિતે નિષ્ક્રિય છે, ત્યારે તે કેઈને મારનાર નહિ, તેમ કે તેને પણ મારનાર નહિ, તે પછી તેમાં હિંસાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org