________________
૧૦
તત્ત્વાખ્યાન.
ઉ॰ ચૈતન્યસ્વરૂપ આત્માને ન માનતાં સમવાય સબધને લઈને આત્મામાં ચતન્ય માનવામાં આવે; તે સમવાય પદાર્થ એકસ્વરૂપ, વ્યાપક અને નિત્ય હોવાથી ઘટ, પટ વિગેરૈમાં પણ સમવાય જ્યારે ખરાખર છે; ત્યારે ચૈતન્યના સમવાય આત્મામાં જ છે, ઘટ, પટ વિગેરેમાં નથી, એમ કેવી રીતે માની શકાય ? કિચ આવા પ્રકારની વસ્તુસ્થિતિને માનીએ તા તમામ પદાર્થો ચૈતન્યના સમવાયને લઇને ચૈતન્યવાળા છે, એમ પણ કેમ ન કહી શકાય ?
પૂર્વ ‘જેમ આ ઠેકાણે કુંડામાં દહિં છે’ એવી પ્રતીતિ થતી હાવાથી તેની બહાર હિ' નથી એ અર્થાત્ આવી ગયું; તેમ આ ઠેકાણે પણ આત્મામાં જ્ઞાન છે; એવી પ્રતીતિને લઇને ઘટ, પટ વિગેરેમાં નથી એ પણ સહેજ સમજી શકાય તેમ છે, તે પછી જડમાં જ્ઞાનની આપત્તિ ક્યાં રહી ? તેને વિચાર કરશે.
ઉ॰ જે સ્વય' અચેતન હાય તેને આવી પ્રતીતિયાને લઇને હૈજાર વાર જ્ઞાનના સમવાય માનવા છતાં પણ તેમાં ચેતનતા કદાપિ આવી શકવાની નહિ. જેમ જે વ્યકિત સ્વય* નપુસક હાય, તેને હજારવાર પુરુષના સંબધ થવા છતાં પણુ તેમાં પુરુષતા આવી શકતી નથી; તેમ અત્ર પણ ખાલી સમવાય માત્રથી અચેતનમાં જો ચેતનતા આવતી હોય; ઘટ, પટ વિગેરે જડ પદાર્થાએ શેા અપરાધ કર્યાં છે ? કે તેમાં ચેતનતા ન આવી શકે ? અને એવી શી રાજાજ્ઞા છે ? કે અચેતનતા સરખી હોવા છતાં પણ એકમાં સમવાયને લઇને ચેતનતા માનવી અને સ્ત્રીજામાં નહિ. જ્યાં વસ્તુસ્થિતિના વિચાર ચાલતા હાય, ત્યાં તેવી પ્રતીતિચેા ખીચારી નપુ’સકની માફ્ક શા કામમાં આવવાની ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org