SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ૨૦૫ કરવામાં આવ્યું, પરંતુ કોઈ પણ પરિમાણવાળાં મોતી જ નથી એ વાત ક્યાંથી આવી? માટે આ ઠેકાણે પરિમાણ-વિશેષને જ નિષેધ સમજ, કિંતુ મોતીને નહિ, એ વાત ખૂબ ખ્યાલમાં રાખવી. તેમ અત્ર પણ “આત્મા નથી” એ વાક્યથી વિદ્યમાન આત્માને જ કેઈ ઠેકાણે કેઈની સાથે સંગ વિગેરેને નિષેધ કરે છે. જેમ મૃતાવસ્થામાં રહેલને ઉદ્દેશી કઈ કહે કે આ શરીરમાં આત્મા નથી એતાવતા કેઈ પણ શરીરમાં આત્મા છે જ નહિ, એ વાત કયાંથી આવી? માટે ઉપર્યુકત નિષેધ જરૂર આત્મ-સત્તાને સિદ્ધ કરે છે. પૂજેને નિષેધ કરવામાં આવે છે, તે વસ્તુ પણ વિદ્યમાન છે, જે એમ માનવામાં આવે તે મારી અંદર પણ શૈલેયસ્વામિપણું છે એમ કેમ ન માની શકાય? કેમકે આપ તેને નિષેધ કરે છે, માટે તે જરૂર હોવું જોઈએ. ઉ૦ આપની અંદર ત્રણ લોકના ઇશ્વરતાવિશેષને નિષેધ કરવામાં આવેલ હોવાથી ત્રણ લેકની ઈશ્વરતા આપનામાં નથી, પરંતુ સર્વથા ઈશ્વરતા જ આપનામાં નથી એમ અમે બિલકુલ માનતા નથી. જેમ મેતીની અંદર ઘડા જેટલા પ્રમાણને નિષેધ કરવાથી પરિમાણવિશેષને નિષેધ સમજવાને છે, પણ સર્વથા પરિમાણ છે જ નહિ, એમ કદાપિ માનવામાં આવતું નથી, તેમ અત્ર પણ રિલેકની ઇશ્વરતાને નિષેધ કરવાથી ઈશ્વરતાવિશેષને નિષેધ થયો એમ સમજવાનું છે. કારણ કે પિતાના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy