SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઘ, દ્રવ્યથી મૃત્તિકાને છે અથત મૃત્તિકા સિવાય અન્યરૂપપટરૂપ નથી. એટલે કે રવદ્રવ્યથી સત છે. જ્યારે પરદ્રવ્યથી અસત્ છે; તેમજ ક્ષેત્રથી મુંબાઈને છે, નહિ કે બીજા કોઈ ક્ષેત્રને. કાલથી વસંતઋતુને છે પરંતુ તે સિવાય બીજી કોઈ ઋતુને નથી. ભાવથી રક્તવર્ણયુક્ત છે, કિંતુ અન્ય કોઈ વર્ણ યુક્ત નથી. આ પ્રમાણે આપણે એક જ વસ્તુમાં ( દાખલા તરીકે ઘટમાં) સવ અને અસત્ત્વ એમ બે ઉભય વિરુદ્ધ ધર્મ કેવી રીતે રહેલા છે તે જોઈ ગયા. હવે નિત્યત્વ અને અનિત્યત્વના સંબંધમાં વિચાર કરીએ. અર્થાત અન્ય શબ્દોમાં કહીએ તે દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને પ્રોગ્ય યુકત છે એમ વિચારીએ. પ્રથમ તે આત્મા પરજ આ વાત ઘટાવીએ. વ્યાર્થિક નયની અપેક્ષાએ મૂળ વસ્તુ–દ્રવ્યની અપેક્ષાએ એમ કહી શકાય કે આત્મા નિત્ય છે, તથાપિ પર્યાયાર્થિક નયની અપે. ક્ષાએ-ગુણ અને પર્યાના ઉત્પાદ અને વિનાશની અપેક્ષાએ આત્મા અનિત્ય છે એમ માનવું પડે છે, કેમકે જ્યારે આત્મા આ મનુષ્ય દેહને ત્યાગ કરી અન્ય ગતિને-દેવાદિગતિને પ્રાપ્ત કરે છે, ત્યારે મનુષ્ય પર્યાયને વિનાશ થયેલ અને દેવાદિપર્યાયને ઉત્પાદ થયે એ સહજ સમજી શકાય છે, પરંતુ આત્મત્વચેતનત્વ તે બન્ને દશામાં સમાન જ છે-ધ્રુવ જ છે. હવે આ બાબત ઉપર વિશેષ વિવેચન ન કરતાં અન્ય દશનકારોએ સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે કે કેમ તેને વિચાર કરીએ. પ્રથમ તે સાંખ્ય દર્શનને વિચાર કરીએ. સાંખ્ય દર્શનકારે સત્વ, રજસૂ અને તમસૂ એ ત્રણ ગુણની સમ અવસ્થાને “પ્રકૃતિ” તેમજ પ્રકૃતિમાં પ્રસાદ, સંતેષ અને દૈન્યાદિ અનેક ધર્મો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy