________________
વસ્તુનું એક કરતાં વધારે દષ્ટિબિન્દુદ્વારા કથન કરવું. નિર્દેશ કરે એ સ્યાદ્વાદ છે. ટૂંકમાં એક વસ્તુમાં સાપેક્ષ રીત્યા અનેક ધર્મને–અરે વિરૂદ્ધ ધર્મને પણ સ્વીકાર કરે તે સ્યાદ્વાદ છે. એ તે સાધારણ મનુષ્ય પણ જાણે છે કે દરેક વસ્તુની બે બાજુએ તપાસવી જોઈએ. એક બાજુ જેવાથી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત ન થતાં બ્રાન્તિ-ભ્રમ ઉત્પન્ન થવા સંભવ રહે છે. અને ઉલટા ઊંધે માર્ગે ચઢી જવાને પ્રસંગે પ્રાપ્ત થાય છે. આ સ્યાદ્વાદનું ક્ષેત્ર અત્યન્ત વિશાળ છે. દરેક પ્રમેય પદાર્થ સ્યાદ્વાદની મુદ્રાથી મુદ્રિત છે. એ વાતને શ્રી હેમચન્દ્રાચાર્ય ટેકે આપે છે, કેમકે તેમણે કહ્યું છે કે"आदीपमाव्योम समस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु"
અન્યગવ્યવચ્છેદકા, પંચમ મલેક અથતુ–દીપથી લઈને તે આકાશ સૂધી સર્વ પદાર્થ સમસ્વભાવને ધારણ કરે છે, કારણ કે કોઈ પણ પદાર્થ સ્યાદ્વાદ મુદ્રાનું ઉલ્લંઘન કરી શકે તેમ નથી. વિશેષમાં અનેકાન્તવાદ, અપેક્ષાવાદ એ સ્યાદ્વાદના પર્યાયે છે. દરેક વસ્તુ અનન્તધર્મોત્મક છે. કેમકે અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, સદશત્વ, વિસદશત્વ ઈત્યાદિ વસ્તુના ધર્મો છે. દરેક વસ્તુ (દાખલા તરીકે ઘટ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સત્ છે, જ્યારે પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની. અપેક્ષાએ અસત્ છે.
જેવી રીતે કે મુંબઈમાં વસન્ત ઋતુમાં માટીને રકત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org