________________
૨૮
ગમે તે વ્યક્તિ પછી ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી હોય, તે મુક્તિ મેળવી શકે છે એમ જૈન સિદ્ધાંત કહે છે. વળી એવું પણ નથી કે જૈન સાધુને વેશ પહેરે તેજ મુક્તિ મળે નહિ તે નહિ. પંદર પ્રકારે મુકિત મળે છે, એમ જૈન શાસ્ત્રમાં પાઠ છે. સાથે સાથે એટલું હું નિવેદન કરીશ કે અન્ય દર્શનકારની માફક જૈનેએ મુકિતને અનિત્ય તેમજ શુન્ય માની નથી. મુક્ત થયા પછી સંજારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી એમ જૈન ધર્મ કહે છે. વળી આ ધર્મ પ્રમાણે મુક્ત અવસ્થામાં માતમા અનંતજ્ઞાની, અનંતસુખી મનાય છે.
જૈન ધર્મની ઉદારત પરત્વે આપણે ઉપર ઘણાં કારણે જોઈ ગયા પણ તે કારણેનું મૂળ કહે કે સર્વોત્તમ કારણ કહે તે તે “સ્યાદ્વાદ' જ છે. જૈનેની સ્યાદ્વાદશૈલી ભલભલા વિદ્વા. નેને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. એટલું જ નહિ પણ જૈનેતર વિદ્વાનોને પણ મુકતકંઠે તેની પ્રશંસા કરવી પડે છે. અન્ય દર્શનકારોએ પણ ગુપ્તરીત્યા તે તેને સ્વીકાર કર્યો જ છે.
એ વાત આપણે આગળ ઉપર જઈશું. જ્યારે સ્યાદ્વાદ આવે ઉચ્ચ કેટિને સિદ્ધાંત છે, તે તેનું સ્થૂલ સ્વરૂપ તે આપણે જાણવું જોઈએ. સ્યાદ્વાદ એ “સ્થાત્ ” અને “વાદ” એ શબ્દને બનેલ છે. “સ્માત ” ને અર્થ “ કથંચિત્ ” “અમુક અપેક્ષાએ” એમ થાય છે. “ચા વ્યાં અને વાનરોત
” એમ શ્રી હેમચન્દ્રાચાય કરે છે. અર્થાત્ “સ્યાત્” એ અવ્યય છે. અને તે એક કરતાં વધારે પક્ષ( બાજુ)નું ઘતન કરે છે. આ ઉપરથી સમજી શકાય છે કે કોઈ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org