________________
૨૦૦
તત્ત્વાખ્યાન.
એવા ન્યાય હાવાથી જે કાર્યોંમાં હેતુની અપેક્ષા ન હોય તે કાર્યની સત્તા માં તે નિર'તર રહેવી જોઈએ અને કાં તા વધ્યાપુત્રની માફ્ક બિલકુલ ન હાવી જોઇએ. માટે આપના વિચાર પ્રમાણે જ્યાં શરીરના આકારની જ સિદ્ધિ થઇ શકતી નથી, ત્યાં શ્વાસે શ્ર્વાસની અને ચૈતન્યશક્તિની તે વાત જ શી કરવી ? માટે ચૈતન્ય ભૂતાના ધમ' નથી, કિંતુ આત્માના ધમ છે, એ વાત સ્થિર થઇ સમજવી,
કિંચ, પ્રથમ મદ્યાંગનું ઢષ્ટાંત આપવામાં આવ્યું, તે પણ યુક્તિવિરુદ્ધ છે, કેમકે મદ્યાંગ જ્યાં સુધી જૂદાં જુદાં હોય છે, અને તેને મેળવનારી વ્યકિત જયાં સુધી મળતી નથી, ત્યાં સુધી તે સ્વયં મળીને કદાપિ માદનશક્તિવાળી મદિરા બનતી નથી, કિંતુ જ્યારે તેને મેળવનાર વ્યકિત હાય છે, ત્યારે જ તે મદ્યાંગની માદન શક્તિવાળી મદ્વિરા અને છે. તેવી જ રીતે અત્ર પણુ જડ એવાં પાંચ ભૂતાને મેળવનારી બીજી વ્યકિત જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી તે કદાપિ મળીને શરીરના આકારરૂપ થવાના જ નહિ, માટે જે તેને મેળવનાર છે, તેનુ નામ જ આત્મા સમજવુ, અપરચ, જેના ગુણા પ્રત્યક્ષ હાય છે, તે ગુણી પણ પ્રત્યક્ષ હાય છે એમ જરૂર માનવુ જોઇએ. જેમ ઘટ, પટ વિગેરેના ગુણ્ણા રૂપ, ૨સ, ગન્ધ, સ્પર્શ વિગેરે પ્રત્યક્ષ હોવાથી ઘટ, પટ વિગેરે પણ પ્રત્યક્ષ છે; એમ માનવામાં આવે છે; તેમ સ્મરણ, જીજ્ઞાસા, ચિકીર્ષા, જિંગમિષા, સંશય વિગેરે ગુણૢા પણ સ્વસ વેઇનરૂપ પ્રત્યક્ષ હાવાથી ગુણીરૂપ આત્મા પણ પ્રત્યક્ષ છે. એમ જરૂર માનવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org