________________
જૈનદર્શન.
૧૦૭
મૃતાવસ્થામાં તે જ્યારે વાયુ જ નથી, ત્યારે સામગ્રી ન હોવાથી ચૈતન્યશકિત પેદા ન થાય તેમાં આશ્ચર્ય શાનું?
ઉ૦ મૃતાવસ્થામાં જો કદાચ વાયુને અભાવ હોવાથી ચૈતન્યશકિત નથી, એમ કહે તે નળી દ્વારા અથવા ધમણદ્વારા વાયુને સંચાર કરવાથી પાંચ ભૂતરૂપ કારણસામગ્રી
જ્યારે મળી ગઈ, ત્યારે ચૈતન્યને પેદા થવામાં બીજી કઈ અડચણ રહી? અને ચેતન્ય તે એમ કરવા છતાં પણ બીલકુલ જોવામાં આવતું નથી, માટે કહે કે ચિતન્ય પાંચ ભૂતેને ધર્મ નથી.
પૂ૦ વાયુને સંચાર કરવા છતાં પણ પ્રાણ નામને વાયુ તેમાં ન હોવાથી તેમાં જ્ઞાન પેદા થતું નથી, માટે અમારે ત્યાં મૃતાવસ્થામાં ચૈતન્યની આપત્તિ કેવી રીતે આવી શકે?
ઉ૦ જ્યારે કેપ્ટની અંદર સંચરનાર વાયુને આપ પ્રાણવાયુ કહે છે, ત્યારે નળિકા વિગેરે દ્વારા કચ્છની અંદર વાયુને સંચાર કરવાથી કચ્છમાં સંચરણ કરનારે પ્રાણવાયુ પણ આપના મત પ્રમાણે આવી ગયેતે પછી સામગ્રી સંપૂર્ણ મળવા છતાં પણ મૃતાવસ્થામાં ચૈતન્યશક્તિ કેમ જોવામાં , આવતી નથી માટે તેને શરીરના ધર્મ તરીકે ન માનતાં આત્માના ધર્મ તરીકે માનવી એ જ સર્વોત્તમ છે.
પૂ. મૃતાવરથામાં તેજરૂપ ત્રીજું ભૂત ન હોવાથી તેમાં ચૈતન્યશક્તિ માનવામાં આવતી નથી, માટે અમારે ત્યાં કોઈ પણ જાતના દેષને અવકાશ છે જ નહિ.
ઉ૦ મૃત શરીરમાં અર્થાત્ મડદાની અંદર કેટલેક સમય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org