________________
૧૪૬
તત્ત્વાખ્યાન,
કિચ ચેતનાને અન્વય-વ્યતિરેક પણ શરીરની સાથે બિલકુલ ઘટી શક્તો નથી તે પણ સમજાવવામાં આવે છે જેના સભાવમાં જેને સદ્ભાવ જોવામાં આવે તે તેને અન્વયિ અને જેના અભાવમાં જેને અભાવ જોવામાં આવે તે તેને વ્યતિરેકી કહેવાય છે. જેમ પુદગલની સદભાવદશામાં રૂપ, રસ વિગેને સદભાવ અને તેના અભાવરૂપ આકાશ વિગેરેમાં રૂપ વિશેને અભાવ જોવામાં આવે છે, માટે રૂપદિ ગુણે પુદ્ગલની સાથે જ અન્વય-વ્યતિરેકપણાને ધારણ કરે છે, બીજાની સાથે નહિ. અત એવ તેની ઉત્કર્ષદશામાં તેની પણ ઉત્કર્ષતા અને તેની અપકર્ષદશામાં તેની અપકર્ષતા જોવામાં આવે છે. તેવી રીતે જે ચિતન્ય પણ શરીરની સાથે અન્વય-વ્યતિરેકપણાને ધારણ કરતું હોય તે જે સ્કૂલશરીરવાળા હોય-અર્થાત અબ જાડો હેય, તેમાં ઘણું જ્ઞાન અને દુબળામાં બહુ
ડું જ્ઞાન હોવું જોઈએ. છતાં એમ તે બિલકુલ જેવામાં આવતું નથી, પરંતુ એથી ઉલટું તે જરૂર જોવામાં આવે છે, કે કેટલીક દુબલ વ્યક્તિમાં ઘણું જ્ઞાન હોય છે અને કેટલાક જાડા મોટા મુશલ જેવી સ્કૂલબુદ્ધિવાળા હોય છે અર્થાત મહામૂખ હોય છે. માટે આપ જ બતાવે કે કેઈપણ રીતે ચેતનાને શરીરના ગુણ તરીકે માની શકાય તેમ છે ખરું?
પૂર પાંચ ભૂતને સમુદાય જ્યાં બરાબર હોય, ત્યાં જ અમે ચૈતન્યની ઉત્પત્તિ માનીએ છીએ, કિંતુ જ્યાં એક પણ ઓછું હોય, ત્યાં બિલકુલ અમે માનતા નથી. માટે જ્યાં કારણુસામગ્રી જ સંપૂર્ણ ન હોય, ત્યાં કાર્ય કેવી રીતે થાય? અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org