________________
જૈનદર્શન.
૧૮૮
કેવી રીતે થઈ શકે? તે પણ ખાસ વિચારણીય છે. આથી એ સિદ્ધ થયું કે આમા નામને કઈ પદાર્થ જગતમાં છે જ નહિ આ વાત સ્થિર થઈ સમજવી. આવા પ્રકારના નાસ્તિકના અભિપ્રાય ઉપર આત્મા પદાર્થને માનનારા આસ્તિકને વિચાર પ્રદશિત કરવામાં આવે છે –
આત્માની સિદ્ધિ.
આત્મા નામના પદાર્થને જરૂર માનવે જોઈએ તે સિવાય કેઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકવાનું જ નથી. પૃથ્વી વિગેરે પાંચ ભૂતે અચેતન છે. તેને ધર્મ ચૈતન્ય હોઈ શકે જ નહિ, કેમકે જેને ધર્મ જડસ્વરૂપ હોય તેને ધર્મ ચેતન કેવી રીતે સંભવી શકે? એ વાત સહજ સમજી શકાય તેમ છે, તથા જેવી રીતે ઘડાનું ઉપાદાનકારણ માટી છે. તેવી રીતે ચૈતન્યનું ઉપાદાનકારણ પૃથ્વી વિગેરે જડ પદાર્થો છે, એમ પણ કહી શકાય તેમ નથી, માટે તેને જે ધર્મ છે તેનું નામ જ આત્મા સમજવું. આ સાધારણ અભિપ્રાય આસ્તિકને છે. આવા બંને પ્રકારના આપસમાં વિરુદ્ધ વિચારે સાંભળી મધ્યસ્થ બુદ્ધિવાળાના મનમાં જરૂર સંશય થાય કે આ બેમાંથી સત્ય કયે પક્ષ છે અને અસત્ય કયે પક્ષ છે? આવા પ્રકારની ગુંચવણ ઉભી થવાથી બુદ્ધિશાલીએ નિર્ણય માટે જરૂર પ્રયત્ન કરે જ જોઈએ, તેથી હવે નિર્ણયને પ્રકાર આગળ બતાવવામાં આવે છે. '
પૂ૦ મય બનાવવાના પદાર્થો એકઠા કરી તેની મદિરા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org