________________
જૈનદર્શને
૧૭૮
વેદાન્તિકના મત પ્રમાણે અનેકાન્તને વિચાર
જેના મતમાં અનિર્વાચ્ય બ્રહ્મ સિવાય પ્રમાણ, પ્રમેય વિગેરે સંપૂર્ણ જગત મિથ્યા છે અર્થાત્ બ્રાન્તિરૂપ છે તે લેઓએ અનેકાન્તવાદમાં સંશય, વિરોધ વિગેરે દેનું આરોપણ કરી તેના નિરાકરણ માટે જે માયારૂપી જાળ ભેળા
કેને ફસાવવા માટે પાથરેલી છે, તે પણ તેના મત પ્રમાણે મિથ્યા અથત જૂઠી હોવાથી કેઈને પણ આદરવા લાયક છે જ નહિ; કારણ કે જ્યાં શાસ્ત્રમાં ભ્રાન્તિ, પ્રમાણમાં ભ્રાન્તિ, પ્રમેચમાં ભ્રાન્તિ, પ્રમાતામાં બ્રાન્તિ, બોલવામાં ભ્રાન્તિ, વ્યવહારમાં બ્રાન્તિ, લેકમાં બ્રાન્તિ, દષ્ટિમાં પણ ભ્રાન્તિ, કેવલ બ્રહ્મ જ અબ્રાન્ત છે, બાકી તમામ બ્રાન્ત છે–આ પ્રમાણે જગતનું જ ભ્રાન્તિરૂપે નિરૂપણ કરવામાં આવ્યું હોય, ત્યાં તે લિંકેથી અનેકાન્તવાદ અબ્રાન્ત છે એમ બેલાય જ કેવી રીતે? અને બ્રાન્ત પુરૂષને નિર્દોષ પદાર્થમાં પણ સંશય વિગેરે દેશે જોવામાં આવે તેમાં કંઈ પણ આશ્ચર્ય છે જ નહિ. વસ્તુસ્થિતિ એવી છે, તે પણ બીજા લેકેના ભ્રમને દૂર કરવા માટે તે વિષે અત્ર કંઈક વિવેચન કરવું અસ્થાને ગણશે નહિ. જ્યારે વિરોધ, સંશય, અનવસ્થા વિગેરે એકાન્તવાદીઓએ આપેલા દેને ઉદ્ધાર કરી પ્રમાણુ દ્વારા અનેકાન્તને નિશ્ચય કરવામાં આવ્યું, ત્યારે તેમાં દે દર્શાવવા પ્રયત્ન કરે તે તે દૂધમાંથી પૂરા કાઢવા જેવું છે. જ્યાં કેઈપણ દેષને અવકાશ જ નથી, ત્યાં સંશય વિગેરેની તે વાત જ શી કરવી? કિચ,
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org