________________
જૈનદર્શન,
૧૭૫
સાંખ્યના મત પ્રમાણે સ્યાદ્વાદનું પ્રદર્શન,
પરસ્પર વિરુદ્ધ એવા સત્વ, રજ અને તમે ગુણથી યુકત પ્રકૃતિમાં સંસારાવસ્થા અને મેક્ષાવસ્થા વિષયક પ્રવૃત્તિનિવૃત્તિરૂપ વિરુદ્ધ ધર્મને માનનાર સાંખેથી પણ કદાપિ અનેકાન્તથી વિરુદ્ધ ડગલું ભરી શકાય તેમ છે જ નહિ. તેજ વાતને નીચેને કલેક પણ ટેકે આપે છે–
इच्छन् प्रधान सत्त्वाद्यैर्विरुद्धैर्गुम्फितं गुणैः। साख्यः सख्यावतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ॥
–વીતરાગસ્તોત્ર, પ્રકાશ ૮ મે. ભાવાર્થ ઉપર પ્રમાણે જ છે. કિચ, न्यायात् खलु विरोधो यः स विरोध इहोच्यते। यदेकान्तभेदादौ तयोरेवाप्रसिद्धितः ॥
–શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક ૭ મે, પૃ. ૨૬૪. ભાવાર્થ-જે વિરોધ ન્યાયયુક્ત હોય તે જ ખરેખરે વિરાધ કહેવાય. દષ્ટાન્ત તરીકે જેમ એકાન્ત ભેદ તથા અભેદમાં અને એકાન્ત નિત્યાનિત્યમાં આકાશપુષ્પની માફક દ્રવ્ય-પર્યાયની અપ્રસિદ્ધિ હોવાથી તેમાં વિરોધ ઘટી શકે તેમ છે, પરંતુ અત્ર કે જ્યાં કથંચિત નિત્યાનિત્ય તથા ભેદભેદ માનવામાં દ્રવ્ય-પર્યાચનું સ્વરૂપ સારી રીતે પરિચિત થાય છે, ત્યાં વિરોધની સંભાવના જ કેવી રીતે હોઈ શકે? વિધિ વિગેરેની વાતે તે બુદ્ધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org