SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ તવાખ્યાન, રહે છે ? અથવા સંપૂર્ણતાથી રહે છે? તેમાં પ્રથમ પક્ષમાં તો પૂર્વે કહેલા ઉત્તર સિવાય બીજું કંઈ છે જ નહિ, અને સંપૂઈતાથી રહે છે એ બીજો પક્ષ માનવામાં પણ દૂષણે આવતાં હેવાથી તે પણ ત્યાજ્ય છે, કારણકે અવયવમાં અવયવીને સંપૂર્ણપણે રહેવાપણું હેવાથી એક અવયવીમાં અનેક અવચવીપણાને પ્રસંગ આવવાને અર્થાત એક અવયવીમાં જેટલા અવયવે છે તેટલા અવયવીઓ સિદ્ધ થવાના. પૂ. અભેદ પક્ષમાં પણ કાં તે કેવલ અવયવી રહેવાના અથવા તે કેવલ અવયવે રહેવાના; પરન્તુ બે ચીજ તે કદાપિ કરવાની નહિ. - ઉ૦ એકાન્તથી અભેદ તે અમે બિલકુલ માનતા જ નથી, કિન્તુ પરસ્પર કથંચિત્ તાદમ્યપણાને લઈને અભેદ માનીએ છીએ. સર્વત્ર અવળે અને અવયવીમાં પરસ્પર કથંચિત ભેદભેદપણું માનવામાં આવેલું હોવાથી અમારે ત્યાં તે કઈ પણ વાતની અનુપત્તિ છે જ નહિ. એ તે કેવળ એકાન્ત ભેદ માનનારાના મતમાં જ સમજવી. માટે અવયવે અને અવયવીના પરસ્પર વર્તન સંબંધી ઉપપત્તિ અનેકાન્ત માન્યા સિવાય આકાશપુષ્પ સમાન થઈ જવાની અને તે સિવાય ઘટ, પટ વિગેરે અવયવીને વ્યવહાર પણ વધ્યાપુત્ર સમાન થવાને. એવી જ રીતે સગીમાં સંગની, સમવાયીમાં સમવાયની, ગુણમાં ગુણોની, વ્યક્તિમાં સામાન્ય વિગેરેની પણ પરસ્પર અત્યંત ભિન્નતા માનેલી હોવાથી દેશથી યા તે સંપૂર્ણથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy