________________
૧૭૦
તસ્વાખ્યાન
.
.
.
.
.
-
તથા અનાદિ નિત્ય એક ઈશ્વરમાં સૃષ્ટિ બનાવવાની ઈચ્છા અને સંહારની ઈચ્છા આ બંને રજોગુણ અને તમે ગુણના સ્વભાવ છે તથા તેમાં ક્ષિતિ, જલ વગેરે અષ્ટમૂર્તિપણું, સાત્વિક સ્વભાવ છે વિગેરે પરસ્પર અત્યન્ત વિરુદ્ધ ગુણને સદુભાવ એકમાં પિતાને માનવામાં કંઈ પણ વિરુદ્ધતા નથી એમ બેલિવું અને સાપેક્ષપણે અનેક ધર્મોને એકમાં માનનાર ઉપર જૂઠે કોલાહલ મચાવે તે મહામિથ્યાત્વહિની ચેષ્ટા નહિ તે બીજું શું કહી શકાય ? તથા એક જ દંડમાં બી લાંબા દંડની અપેક્ષાએ હેપણું અને દુકાની અપેક્ષાએ લાંબાપણું તથા અપર સામાન્યરૂપ જે દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મવની અંદર સામાન્ય તથા વિશેષરૂપ ઉભયપણું માનવું તે સમજાવવામાં આવે છે. દ્રવ્યત્વ નવ દ્રવ્યમાં વર્તતું હોવાથી સામાન્ય છે, તથા ગુણ અને કર્મથી જૂદું હોવાથી વિશેષ પણ છે આવી રીતે આપના મત પ્રમાણે પરસ્પર વિરુદ્ધ એવા સામાન્ય-વિશેષને પણ એકમાં માનવામાં આપને જ્યારે વિરુદ્ધતાને આભાસ થતો નથી ત્યારે અનેકાન્તમાં કયાંથી આવી ગયે ?
તથા એક જ હેતુમાં પંચરૂપપણું અને પાર્થિવ પરમાણુમાં પૃથ્વીના સંબંધથી પૃથ્વીત્વ સામાન્ય અને અન્ય વિશેષને લઈને બીજા પરમાણુથી જૂદી રીતે ઓળખાવવાપણું હેવાને લીધે વિશેષપણું. આ પ્રમાણે પરમાણુને સામાન્ય તથા વિશેષરૂ૫ માનનાર આપ અનેકાન્તવાદથી ભિન્ન કદાપિ થઈ શકવાના નહિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org