________________
જૈનદર્શન,
૧૬૮
અને અનુમાનપણું આ બંને વાતે માનનારા તૈયાયિકોથી અનેકાન્તવાદથી ભાગીને કદાપિ દૂર જવાય તેમ નથી. એવી રીતે જ્ઞાનમાં ફળપણું અને પ્રમાણપણું પૂર્વોત્તરની અપેક્ષાએ સર્વત્ર જાણી લેવું. તથા ચિત્રરૂપવાળા અવયવીમાં એક જ ચિત્રરૂપ જ્યારે માનવામાં આવે છે અને તેમાં વિરોધને લેશ પણ બતાવવામાં આવતું નથી ત્યારે એક વસ્તુમાં રહેલા અનેક ધર્મોનું સાપેક્ષપણે પ્રતિપાદન કરનાર અનેકાતમાં વિરોધને અવકાશ હાય જ કયાંથી ? તેને વિચાર કરશે.
તથા એક ધૂપઘટીમાં એક ભાગમાં શીત સ્પર્શ અને બીજા ભાગમાં ઉણુ સ્પર્શ અનુભવાય છે. અવય ભિન્ન છે તે પણ અવયવીમાં એકપણું હોવાથી એકમાં જ બે સ્પર્શે છે. તથા સિદ્ધાંત પણ નીલવૃષનું લક્ષણ બાંધવા જતાં ઉપર્યુકત વાતને જ ટેકે આપે છે–
लोहितो यस्तु वर्णेन मुखे पुच्छे च पाण्डुरः । श्वेतः खुरविषाणाभ्यां स नीलवृष उच्यते ॥
–શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્તબક ૬, પૃ. ૨૦૫ ભાવાર્થ-જે વર્ણથી લેહિત હય, મુખ અને પુચ્છમાં પાંડુર હોય તથા જેના પુર અને શીંગડાં સફેદહેય તે નીલ વૃષભ કહેવાય. જૂએ, એકજ અવયવીમાં વિરુદ્ધ એવા અનેક વણેને અવિરુદ્ધપણે માનવા છતાં પણ બીજાને ત્યાં વિરોધની વાતે કરવા જવું એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org