________________
તન્વાખ્યાન,
-
-
-
- -
-
-
-
- -
-
-
-
-
- -
-
-
-
-
...
-
પ
.
.
.
મુક્તિને પ્રસંગ આવવાને; કારણકે તત્વજ્ઞાનની ઉત્પત્તિને જ તેઓ મુક્તિ માને છે, અને સંવેદનને અનુભવ પણ કથંચિત સંવેદનરૂપે થાય છે. સારાંશ-સંવેદનમાં અનુભવપણું અને અનનુભવપણું આ બંને વિરૂદ્ધ ધર્મોને માનવાથી અનેકાન્તનું શરણ તેઓને જરૂર લેવું પડે તેમ છે.
કિંચ, સર્વનું જ્ઞાન સંવેદનથી ગ્રાહ્યગ્રાહકના આકારથી શૂન્ય હોવાને લીધે આત્માના અસંવેદન તથા સંવેદના પણને લઈને જ્યારે સવિકલપક-નિવિકલપકરૂપ થયું ત્યારે આપને એકાન્તવાદ ક્યાં રહ્યો ?
તથા ગ્રાહ્યાકાર પણ એક કાલમાં અનેક અર્થોને અવભાસક હોવાથી એકાન્તવાદ તે કદાપિ ટકી શકવાને નહિ, માટે જ્ઞાનવાદીઓના મત પ્રમાણે પણ અનેકાન્તવાદ જરૂર સ્વીકરણીય થવાને.
અને શુન્યવાદી તે જ્યારે વધ્યાપુત્રની જેવા શૂન્યનું જ ' પ્રતિપાદન અપ્રમાણિકપણે કરે છે, ત્યારે એવા અપ્રમાણિકની સાથે એકાન--અનેકાન્તવાદની કથા પણ નકામી જ છે. જ્યાં કોઈપણ વસ્તુની માન્યતા જ નથી, ત્યાં આવા પ્રકારની કથા તે બધિર આગળ ગીતગાનની માફક અનુપયેગી જ થઈ પડવાની. આથી એ ભાવાર્થ નીકળે કે ના મત પ્રમાણે અનેકાન્તવાદ જરૂર છે. તે વાતને નીચેના કલેકે પણ ટેકો આપી રહ્યા છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org