________________
જૈનદર્શન.
પણ તેવી રીતે વિવિધ કાર્ય કેમ ન કરી શકે? અથવા વિવિધ રવભાવથી અનિત્ય પદાર્થ વિવિધ કાર્ય કરે છે, ત્યારે નિત્ય પણ વિવિધ સ્વભાવ દ્વારા વિવિધ કાર્ય ન કરી શકે તેનું શું કારણું ? એ પણ સાથે વિચારણીય છે. તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે ફૂટસ્થ એક સ્વભાવવાળા નિત્ય પદાર્થમાં જ્યારે વિવિધ સ્વભાવ જ નથી ત્યારે વિવિધ કાર્ય કરવાની તે વાત જ શી કરવી? તે પછી અનિત્ય પણું એક સ્વભાવવાળું હોવાથી તે દ્વારા પણ વિવિધ કાર્ય કરવાનો સંભવ કેવી રીતે હોઈ શકે? આ પ્રમાણે નિત્યમાં તથા અનિત્યમાં કાર્ય કરવામાં સમાન દેષ આવતા હોવાથી નિત્યાનિત્ય ઉભયરૂપ વસ્તુ માની સ્યાદ્વાદનું અવલંબન કરવું તેજ સર્વોત્તમ છે. અપરંચ, એક સવભાવવાળા કારણમાં અનેક કાર્ય કરવાપણું માનવું તે પણ પ્રકારાન્તરથી અનેકાન્ત નહિ તે બીજું શું કહી શકાય ? સુગતશિષ્યાનુયાયિ જ્ઞાનવાદિના મત પ્રમાણે
સ્યાદ્વાદનું પ્રદર્શન, સ્વાર્થ અને આકારનું એક જ અભિન્નરૂપે સંવેદના થાય છે અને સંવેદનથી ગ્રાહ્ય-ગ્રાહકના આકારને અનુભવ પિતાની મેળે થાય છે. તથા સંવેદનમાં ગ્રાહા-ગ્રાહકના આકારની કલ્પના તે સ્વપ્નામાં પણ અનુભવગોચર તેઓને નહિજ હેય. જ્યારે વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે, તે પછી જે કદાપિ અનુભવો ચર ન હોય તેને પણ અનુભવગોચર માનવામાં આવે તે સર્વને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org