SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ તત્ત્વાખ્યાન. * ^ ^^ ^ ^^ wr... -- ~ ~ ~ ~~ ~ પેદા કરાવે છે. એવી રીતે એકજ કારણે અનેક કાર્યોને એક કાલમાં કરી શકે છે–આવી તેઓની માન્યતા ઉપર પ્રશ્નને અવકાશ જરૂર રહે છે કે, શું તે એક કારણ અનેક કાર્યોને એક સ્વભાવથી કરે છે અથવા તે ભિન્નભિન્ન સ્વભાવથી? તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે જ્યારે એકજ સ્વભાવથી અનેક કાર્યને કરવાપણું તેમાં છે, તે પછી કાર્યમાં ભિન્નતા આવવાનું શું કારણ? કારણ કે એક સ્વભાવવાળા કારણથી બનેલાં કાર્યો તમામ જૂદાં છે એમ તે કદાપિ ન જ થવું જોઈએ. કિચ, આપ લેક પણ જ્યારે એકમાં અનેક કાર્ય કરવાપણું માને છે, ત્યારે નિત્ય પદાર્થ એક સ્વભાવથી વિવિધ કાર્ય કરે છે; એવી રીતે માનનારા સાંખ્ય વિગેરેનું ખંડન કરવાનું શું કારણ? જે વાત માનવામાં સરખે દોષ આવતું હોય તે દે ને ઉદ્ધાર પિતાના ઉપરથી કર્યા સિવાય બીજા ઉપર આક્ષેપ કરવા તૈયાર થવું એ તે પિતાની ખરેખરી અજ્ઞાન તા જ કહી શકાય. * જેમ અનિત્યમાં વિવિધ કાર્ય કરવાપણું ઘટતું નથી, તેમ નિરંશ એકસ્વભાવરૂપ નિત્ય પદાર્થમાં પણ વિવિધ કાર્ય કરવાપણું ઘટતું નથી. માટે નિત્યમાં વિવિધ કાર્ય કરવાપણું માનવામાં આવતું નથી. આ કથન પણ ધૂલિપ્રક્ષેપરૂપ હોવાથી અનાદરણીય છે. જે કદાચ એમ કહેવામાં આવે કે સહકારીના ભેદથી અનિત્ય પદાર્થ વિવિધ કાર્ય કરે છે, તે પછી નિત્ય પદાર્થ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy