________________
તવાખ્યાન,
જલમાં પ્રવૃત્તિને પ્રસંગ જે બતાવવામાં આવ્યું તે પણ મહામિથ્યાત્વ મોહની ચેષ્ટા સિવાય બીજું કઈ પણ છે જ નહિ. તે વાતને દઢ કરવામાં આવે છે. જલમાં જે જલપણું બતાવવામાં આવ્યું છે તે પણ પિતાના સ્વરૂપની અપેક્ષાએ, નહિ કે બીજાના સ્વરૂપની અપેક્ષાએ. અર્થાત જે પુગલે જલરૂપે પરિણમેલાં હોય તેવી જલાવસ્થામાં જ જલપણાનું સત્ત્વ છે, નહિ કે અગ્નિ વિગેરે રૂપથી પરિણમેલ પગલેની અગ્નિ વિગેરે અવસ્થાની અપેક્ષાએ, કિતુ તે અપેક્ષાએ તે જલમાં અસત્વ રહેલ છે. આ ઉપરથી એ ભાવ નીકળે કે જ્યારે અગ્નિરૂપથી જલમાં જલની સત્તા જ નથી અને જલરૂપથી અગ્નિમાં અગ્નિની સતા નથી ત્યારે આપ જ બતાવે કે જલના અર્થિની અગ્નિમાં અને અગ્નિના અથિની જેલમાં પ્રવૃત્તિ થવાને પ્રસંગ જ કેવી રીતે આવી શકવાને માટે આવી રીતે અસંબદ્ધ પ્રલાપ કરી જે નાર ઇરાન નાશકિત એ વાક્યનું અવલંબન કરી બીજાને ફસાવવા ચેષ્ટા કરવી તે તે નરી બ્રાન્તિ સિવાય બીજું શું કહી શકાય? કિંચ, પુદ્ગલમાં અનન્ત શકિત હવાથી જલનાં પુદગલે કદાચિત્ વર્ષિરૂપે પરિણમે છે અને ફિનાં પગલે કદાચિત જલરૂપે પરિણમે છે. માટે કાલ વિગેરે સામગ્રીસમુદાયની અપેક્ષાએ અગ્નિમાં જલરૂપતા અને જલમાં અગ્નિરૂપતા માનવામાં અમારે તે કઈપણ જાતની અડચણ છે જ નહિ અને પ્રવૃત્તિ તે જે જે કાલમાં જે જે પરિણામ દષ્ટિગોચર થાય તેને કાલની અપેક્ષાએ તે તે પરિણામને અનુકૂલ જ થઈ શકે છે. જેમ કે વ્યકિત કે ભવમાં કોઈને પુત્ર થયું અને તે જ વ્યકિત ભવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org