SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન સ્વરૂપ છે અને પરાક્ષ જ્ઞાનનું પણ ઇન્દ્રિય-અનિન્દ્રિયનિમિત્તક વસ્તુપરિચયપણું સ્વરૂપ છે અને પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનનું પણ અવધિજ્ઞાન મન પર્યાયજ્ઞાન તથા કેવલજ્ઞાન સ્વરૂપ છે અને તેથી ઉલટાં તમામ પરરૂપ સમજવાં. આવી રીતે સ્વરૂપ સત્તાની ઉપર સ્વરૂપ સત્તા તેની ઉપર પણ રવરૂપ સત્તા માનવામાં અનેકાનમાં કંઈ પણ દૂષણ આવતું નથી. જ્યાં સ્વરૂપના સ્વરૂપનું વિવેચન કરવામાં સારો પરિચય થતો હોય ત્યાં દૂષણ હેય જ ક્યાંથી? ભાવાર્થ-જીવમાં ઉપયોગ સ્વરૂપની અપેક્ષાએ સત્વ અને અનુપયોગ સ્વરૂપથી અસરવ, ઉપગાસત્તામાં પણ જ્ઞાન દર્શનની સત્તા અને જડપણ વિગેરેની અસત્તા. જ્ઞાન સત્તામાં પણ પરોક્ષ તથા પ્રત્યક્ષની સત્તા અને અનાકાર દર્શનની અસત્તા. અનાકાર દર્શનમાં પણ સામાન્યરૂપે વસ્તુના પરિચય કરાવવાની સત્તા અને સાકારની અસત્તા. પક્ષજ્ઞાનમાં પણ અસ્પષ્ટપણાની સત્તા અને સ્પષ્ટપણાની અસત્તા. પ્રત્યક્ષમાં પણ સ્પષ્ટપણાની સત્તા અને અસ્પષ્ટપણની અને સત્તા. અવેશદ્યમાં પણ ઇન્દ્રિય અને અનિન્દ્રિયજન્યતાની સત્તા અને બીજાની અસત્તા એવી રીતે સવની ઉપર સત્ત્વઅસત્ત્વની કલ્પના કરવામાં જ્યાં સ્વરૂપનું વિશેષરૂપથી ભાજ થતું હોય ત્યાં અનવસ્થાને દૂષણરૂપે ગણાય જ કેવી રીતે ? પૂ. સર્વેમાં પણ સવ-અસત્તવની કલ્પના કરવામાં ધર્મોની ઉપર ધર્મો રહેતા નથી એ વાક્યની સાથે વિરોધ તે જરૂર આવવાને.. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy