________________
૨૫
એક બીજી બાબત તરફ ધ્યાન ખેંચીશ. જૈન ધર્મમાં દેવ, ગુરુ અને ધર્મની વ્યાખ્યા શું આપી છે તે જોઈએ. પ્રથમ તે દેવનું લક્ષણ વિચારીએ. આ સંબંધમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે
" सर्वज्ञो जितरागादि-दोषस्त्रैलोक्यपूजितः। यथास्थितार्थवादी च, देवोऽहन् परमेश्वरः ॥"
–ોગશાસ, દ્વિતીય પ્રકાશ. અર્થાત– જે સર્વજ્ઞ છે, જેણે રાગાદિક દેને પરાજિત કર્યા છે, જેની ત્રિભુવન પૂજા કરે છે. અને જે જેવા પદાર્થો છે, તે જ પ્રકારે તેનું સ્વરૂપ કહે છે. તે દેવ છે, તે જ અહંનું છે, તે જ પરમેશ્વર છે. આ વ્યાખ્યા ઉપરથી જોઈ શકાય છે કે આવું દેવનું લક્ષણ સર્વમાન્ય થયા વિના રહે તેમ નથી. કારણ કે આમાં જૈને તરફ જરા પણ પક્ષપાત બતાવે નથી. જેનામાં ઉપયુંકત ગુણે હોય તે દેવ કહી શકાય,
સાથે સાથે ગુરુનું લક્ષણ પણ જોઈ લઈએ-- " महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः॥"
અર્થાત-જેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે છે, જેઓ ધીર છે, જેઓ ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવે છે, જેમાં સમતારૂપ સામાયિકમાં સ્થિત છે. અને જેઓ ધર્મને ઉપદેશ આપે છે, તેમને “ગુરુ” માનવામાં આવે છે. જુઓ આ વ્યાખ્યામાં છે જરા પણ ખેંચતાણુ? ગમે તે જાતિને પુરુષ ગુરુપદ પ્રાપ્ત કરી શકે એ ખુલ્લી વાત છે. અત્ર એક વાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org