________________
ર૪
માટે આ નિયમ હોવાથી જ ઉપર કહેવામાં આવ્યું તેમ જન રાજાઓ, મંત્રીઓ વિગેરે આતિક જૈન હોવા છતાં પણ તેઓએ લડાઈએ કરેલી છે. બાકી નિર્દોષ પ્રાણિઓને તકલીફ આપવાનું કે તેઓની હિંસા કરવાને તે કેઈને હક હોઈ શકે જ નહિં અને તેવી આજ્ઞા કેઈ નીતિજ્ઞ શાસ્ત્રકારો આપે પણ નહિ. અને તે વાત મહાભારતમાં પણ આપેલા,
અહિંસા પરમ ધર્મ” એ વાક્યથી પુરવાર થાય છે. આ ઉચ્ચ કોટિને મનનીય સિદ્ધાંત કેને માન્ય ન હોય વાર?
જૈન સાહિત્ય પરત્વે હવે હું એટલું જ કહીશ કે જેનેના લખેલાં રાસાઓ, તીર્થમાળાઓ વગેરે પ્રાચીન સમયના ગુજરાતની સ્થિતિ, તે સમયના રીતરિવાજો, ભાષા તેમજ ઐતિહાસિક બાબતે ઉપર સારી પ્રકાશ પાડી રહ્યાં છે. તેમાં ખાસ કરીને જૈન શિલાલેખે ભારતવર્ષના ઇતિહાસ પર કે પ્રકાશ પાડે છે તે જાણવું હોય તે ઠે. ગેરિનેટને “જૈનશિલાલેખે અને ભારતવર્ષને ઇતિહાસ” એ નામને લેખ વાંચે. જન સાહિત્યને વિશેષ ખ્યાલ આપવા જતાં મૂળ વિષયથી વધુ વિષયાંતર થઈ જવાને ભય રહેવાથી આપણે આટલેથીજ એ પ્રકરણ સમાપ્ત કરીશું. પરંતુ એટલું ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે સાહિત્યદ્વારા જ જૈનેએ દેશની સેવા બજાવી છે તેમ નથી, પરંતુ શિલ્પ–કલાને પણ ઉત્તેજન આપવામાં તેઓએ અગ્ર ભાગ ભજવ્યું છે.
આ તે સાહિત્ય દ્વારા દેશની સે કરવાની જે ઉદારતા જનોએ દાખવી છે તેનું ફક્ત અત્ર દિગ્દર્શન કરાવ્યું છે. હવે હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org