________________
૧૪૪
તેવાખ્યાન,
થયે નથી એ અનુભવ સિને થ જોઈએ. પરંતુ એમ તે કોઈ બુદ્ધિશાળી માનતું નથી. માટે પ્રથમ પક્ષ અયુક્ત છે. હવે રહ્યો બીજે પક્ષ. તેની અપેક્ષાએ પણ તેમાં જે માટીની પ્રતીતિ થાય છે તે પણ બીલકુલ ન થવી જોઈએ; કારણ કે ઘડાની સંપૂર્ણ ઉત્પત્તિ દશામાં પણ માટીની ઉત્પત્તિને બિલકુલ થઈ જ નથી, કિન્તુ એ તે જેમની તેમજ છે. અને તેમાં મોટી નથી એમ પણું કઈ બુદ્ધિશાલી કહી શકશે નહિ, કેમકે આ ઘડે માટીને છે, સુવર્ણને નથી એ અનુભવ સર્વજન પિસિટર છે. માટે બીજે પક્ષ પણ તુચ્છપ્રાય સમજ. સાસંશ-માટીને ઘડે ઘડાના આકારથી ઉત્પન્ન થયે; માટીના પિંડના આકારથી નષ્ટ થયે અને માટીરૂપ મુદ્દગલ દ્રવ્યથી તે શાશ્વત છે એ વાત જરૂર માનવી.કિંચ જે રૂપે વસ્તુની પ્રતીતિ થાય છે, તે રૂપે જે તેને માનવામાં ન આવે તે પદાર્થની વ્યવસ્થા કઈ પણ રીતે થઈ શકવાની જ નહિ, માટે જેને જેવા પ્રકારથી અનુભવ થતું હોય, તે વસ્તુને તેવા રૂપમાં જરૂર માનવી જોઈએ. પ્રસ ગોપાત્ત તેને લગતી બીજી વાત પણ સમજાવવામાં આવે છે. જે વસ્તુ નષ્ટ થઈ, તેને નાશ થયે અને થશે તથા જે ઉત્પન્ન થઈ, તેને ઉત્પાદ થયે અને કથચિત થશે અને જે સ્થિર છે તે સર્વદા દ્રવ્યરૂપથી સ્થિર રહેવાની. તથા જે વસ્તુ કેઈ રૂપથી નષ્ટ થયેલ છે, તે જ કોઈ બીજા રૂપે ઉત્પન્ન થાય છે અને દ્રવ્યરૂપથી સ્થિર છે. એ પ્રમાણે જે નાશ પામે છે તે ઉત્પન્ન થાય છે અને સ્થિર પણ છે, તથા જેને નાશ થવાને છે તેને ઉત્પાદ પણ થવાને અને તેમાં સ્થિરતા પણ રહેવાની, આથી દરેક પદાર્થો ત્રણે કાલમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org