SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ધર્મ જ છે. આથી એ સિદ્ધ થયું કે નાસ્તિતા તુચ્છ અભાવરૂપ નથી, કિન્ત પદાર્થના પરિણામાન્તર રૂપ છે અને પરિણામાતર તે પદાર્થના ધર્મરૂપ છે એ વાત જરૂર માનવી જોઈએ, ચિ, તે તે રૂપથી નહિ થવાપણું પણ તે તે પર્યાની અપક્ષાએ થયા કરે છે, અન્યથા નહિ. જેવી રીતે પટના જે જે ધર્મો હોય તે તે રૂપથી ઘટતું ન થવું એ વાત સર્વ જનપ્રસિદ્ધ છે. અત એવ ઘડાને પિતાની ઉત્પત્તિમાં પ્રતિબન્ધક રૂપે પટ વિગેરેના પયયેની અપેક્ષા જરૂર રહે છે, કારણ કે તે તે સ્વરૂપથી ઘટનું નહિ થવાપણું પણ તે તે પર્યાની અપેક્ષાએ સંભવતું હોવાથી પટ વિગેરેના પર્યાયે પણ ઘટને પિતાની ઉત્પત્તિમાં જરૂર ઉપયોગી થઈ પડે છે. એ વાત આસ જાણવા લાયક છે. માટે પરપર્યાયરૂપ પર પણ ઘટના નાસ્તિત્વરૂપથી સંબધી હોવાથી તેને સંબન્ધ પણ ઘટમાં નાસ્તિત્વરૂપથી જરૂર માન જોઈએ. ઉપર્યુક્ત કથનથી એ ભાવ નીકળે કે ઘટમાં પટની અપેક્ષાએ પટ વિગેરે પદા ને તે સ્વરૂપથી નહિ થવાપણું હેવાથી પટ વિગેરે તમામ પદાર્થો પણ ઘટના સંબંધી છે. નૈયાયિક વગેરે દર્શનકાર પણ ઘટમાં પટ વગેરેના અ ન્ય ભાવને લઈને અસત્વરૂપથી સંબન્ધ જરૂર માને છે. જે કદાચ પરધર્મોને અસત્વરૂપથી ઘટના સંબન્ધી તરીકે માનવામાં ન આવે તે, ઘટમાં સ્વપર્યાયરૂપ સ્વધર્મોને પણ વ્યવહાર થઈ શકવાને નહિ, કારણ કે સ્વપર્યાયને વ્યવહાર પણ પરની અપેક્ષાએ જ થાય છે. જ્યારે પરપર્યાય કોઈ વસ્તુ જ નથી ત્યારે સ્વપયાને પણ વ્યવહાર કેવી રીતે થઈ શકે? અત એવ વપર્યાયરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy