SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન, ૧૩૧ સુક્ત આત્મામાં સ્વર ધર્મોને વિચાર. કમરહિતપણું, સાદિ અનઃસ્થિતિપણું, સિદ્ધપણું, સાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, સાયિક વીર્ય, અનન્ત સુખ, અશરીરી પણું, અજરાપણું, અમરપણું, અરૂપીપણું, અરેસિપણું, અગન્ધિપણું, અસ્પર્શીપણું, નિશ્ચલપણું, નિરોગીપણું, અક્ષયપણું, અવ્યાબાધપા વિગેરે તેના સ્વધર્મો જાણવા અને તેથી વિપરીત જે હોય તે થરધર્મો જાણવા. આમાં પણ તરતમભાવથી વિવક્ષા કરવાથી અનન્ત સ્વપર ધર્મો. સિદ્ધ થાય છે. એવી રીતે તમામ વસ્તુમાં અનન્ત રાવપર ધર્મો છે એમ જાણી લેવું. પ્ર. જે સ્વપર્યાય હેય તે તે વસ્તુના સંબન્ધી હેવાથી તેઓને તે વરતુના ધર્મરૂપ કહી શકાય, પરંતુ જે બીજી વસ્તુને અવલંબન કરનારા હોય તેવા પરપર્યાને તે વરતુના ધર્મરૂપે કેવી રીતે કહી શકાય? તે વાત ખાસ વિચારણીય છે. ઉ૦ સંબન્ધના બે ભેદ છે. એક અસ્તિત્વરૂપથી વસ્તુની સાથે સંબન્ધ અને બીજે નાસ્તિત્વરૂપથી વસ્તુની સાથે સંબન્યું. તેમાં સ્વપર્યાયને વસ્તુની સાથે અસ્તિત્વરૂપથી સંબન્ધ માનવામાં આવે છે-જેમ ઘટમાં રૂપ વિગેરે ગુણોની સત્તા. હોવાથી તે રૂપ વિગેરે ગુણોને તે ઘટની સાથે અસ્તિત્વરૂપથી સબન્યા છે. અને પરપર્યાયરૂપ પરધર્મો તે ઘટમાં અસ્તિત્વરૂપે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy