SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ તવાખ્યાન. અપેક્ષાએ પણ ઘડામાં અનન્ત સ્વપર ધર્મો સિદ્ધ થાય છે. અથવા જેટલા રૂપીઆભાર ઘડામાં સાનુ છે તેટલા રૂપીઆભારપણું ઘડાના સ્વપર્યાય અને તેથી ભિન્ન વજનપણુ ઘડાના પરપર્યાય જાણવા. તથા અનન્તકાલથી ઘડાના બીજા દ્રવ્યની સાથે સંચાગ–વિભાગ થતા ડાવાથી તે સયાગ–વિભાગરૂપ ઘડાના સ્વધર્મી અને બાકી તમામ ઘડાના પરપાઁયરૂપ પરધર્મી જાણવા. અમુકની અપેક્ષાએ અમુક ઘટા નાના અને તેથી બીજાની અપેક્ષાએ વધારે નાના એવી રીતે નાનાપણાના તરતમભાવથી વિચાર કરતાં તથા અમુકની અપેક્ષાએ અમુક ઘડા માટે છે અને અમુકની અપેક્ષાએ તે વધારે મેટી છે એવી રીતે મોટાપણાને લઇને તરતમભાવથી વિચાર કરતાં તથા અમુકની અપેક્ષાએ પહેાળા છે અને અમુકની અપેક્ષાએ તે સાંકડા છે અને અમુકની અપેક્ષાએ લાંખા છે તથા અમુકની અપે ક્ષાએ ટુકા છે એ તમામનેા તરતમભાવથી સાપેક્ષપણે વિચાર કરતાં અનતસ્વધર્મો અને અનન્ત પરધર્માં સિદ્ધ થાય છે. તેવી રીતે પરત્વ અને અપરત્વના વિષયમાં પણ અણી લેવુ. તથા અમુકની અપેક્ષાએ ઘડા નજીક છે, અમુકની અપેક્ષાએ તેથી વધારે નજીક છે અને અમુકની અપેક્ષાએ તેથી પણ વધારે નજીક છે—આ પ્રમાણે નજીકપણાના તરતમ ભાવથી વિચાર કરતાં તથા અમુકથી ઘડો દૂર છે, અમુકથી વધારે દૂર છે અને અમુકથી તેથી પણ વધારે ક્રૂર છે એવી રીતે દૂરપણાને લઈને તરતમભાવથી વિચાર કરતાં પણ સ્વપરધર્મી અનન્ત સ'ભવી શકે છે. તેવી રીતે અમુક ઘી અમુકના સરખા છે અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy