SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૨૦ તત્વાખ્યાન IT એ કેવલ ઉણુ સ્પર્શ જ અગ્નિમાં માનવામાં આવે તે ચંદ્રકામત મણિના ભાવમાં પણ ઉષ્ણુતાને જ અનુભવ થવે જોઈએ પરતુ એમ તે છે જ નહિ માટે સાપેક્ષરૂપે બંને સ્પર્શી અગ્નિમાં માનવા છતાં પણ વિરુદ્ધતા તેમાં લગાર માત્ર નથી. કિચ, જ્યારે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તમામ પુદગલે ઉત્પાદર્શીલ અને વિનાશશીલ છે, ત્યારે જલના પુદગલે કયારેક અનિરૂપે પણ પરિણમે છે અને અગ્નિના પગલે જલરૂપે પણ પરિણમે છે. તથા પિતપતાની કારણસામગ્રી મળવાથી તેજનાં પુદ્ગલે અંધકારરૂપે અને અંધકારનાં પગલે તે જરૂપે પણું પરિણામી જાય છે. તે પછી જે વખતે જલનાં પુદગલે અગ્નિરૂપે પરિણમી જાય, તે વખતને લઈને જલમાં ઉણુ સ્પશપણું અને અગ્નિના પુદગલે જે સમયે જલરૂપે પરિણમી જાય તે સમયને લઈને અગ્નિમાં શીતપણુ પણ જ્યારે નિવિવાદ સિદ્ધ છે, ત્યારે જલમાં ત્રણે કાલની અપેક્ષાએ કેવળ શીત સ્પર્શ જ છે, અગ્નિમાં કેવળ ઉષ્ણ સ્પર્શ જ છે એવી માન્યતા ઉપર વિશ્વાસ કેવી રીતે આવી શકે? *. - અપરંચ, વીજળીની બત્તીના ગેળા ઉપર હાથ મૂકવા છતાં પણ ઉષ્ણુતાને અનુભવ થતું નથી, અને ગ્યાસતેલ વિગેરેની બત્તીના ગળા ઉપર હાથ મૂકવાથી ઉષ્ણતા માલૂમ પડે છે માટે વિચારે કે અગ્નિમાં કેવળ ઉણ સ્પર્શજ છે તેમ કેવી રીતે માની શકાય? આથી એ સિદ્ધ થયું કે અગ્નિમાં પણ શીત અને ઉષ્ણ એમ બંને સ્પર્શી સાપેક્ષરૂપે માનવામાં સ્યાદ્વાદ-મહારિન્દ્રની આજ્ઞા પાળનારને લગાર માત્ર વિરુદ્ધતા જોવામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy