________________
૨૦
પરંતુ તે ઉપરાંત તેમના ગ્રંથને ભંડારમાં રાખી તેનું સંરક્ષણ કર્યું છે. વિશેષમાં દિગનાગના ન્યાયપ્રવેશક નામના બૌદ્ધ ન્યાયના અત્યુત્તમ ગ્રંથને ઉદ્ધાર (સંરક્ષણ) જેને એજ કર્યો છે, કેમકે જે જૈન ભંડારમાંથી આ ગ્રંથ પ્રાપ્ત થયે ન હત, તે અન્યત્ર આ ગ્રંથ ન જોવામાં આવવાથી, જગતને આ ગ્રંથને લાભ મળી શકત નહિ એ વાત સુસ્પષ્ટ છે. ડે. એન. મિરાનેવ પી. એચ. દ્વના દિનાગની ન્યાયપ્રવેશિકા અને માન હરિભદ્રની તે પરની ટીકાએ નામના લેખઆ વાતને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. બૌદ્ધાચાર્ય શાંતિરક્ષિત સૂરિ, કમલશીલની બનાવેલી ટીકાથી અલંકૃત તત્ત્વસંગ્રહ નામને ગ્રંથ જૈન ભંડારમાં છે. (હાલમાં ગા. એ. સિરીમ્ તરફથી થોડા વખતમાં પ્રસિદ્ધ થવાનું સંભળાય છે.) આ ઉપરાંત રાજશેખરની કાવ્યમીમાંસા, વસરાજ કૃત “રૂપકષર્ક સેલ રચિત “ઉદયસુંદરી કથા (ગા. ઓ. સિરીઝ તરફથી પ્રકાશિત ) વગેરે અનેક અન્ય ગ્રંથે પણ જૈનભંડારની પ્રતિ પરથી પ્રકાશમાં આવ્યા છે. આ ઉપરથી જેને દેશની અમૂલ્ય વસ્તુને ઉરકેદ ન થઈ જાય એ બાબત ઉપર લય આપતા હતા એ વાતનું હવે સમર્થન કરવાની જરૂર રહેતી નથી.
જૈનાચાર્યોને ઉદેશ જગતને સુખી બનાવવાને, નીતિને માર્ગે ચઢાવવાને, દેશની ઉન્નતિ કરવાને, વધારે પ્રમાણમાં લેકેને વિદ્યાથી અલંકૃત કરવાનું હતું. આ વાત તેમણે ધાર્મિક સાહિત્ય ઉપરાંત ઐહિક સાહિત્ય જેમકે નાટક,
૧ આ લેખ જૈનશાશનના વીર સં. ૨૪૩૮માં પ્રસિદ્ધ થયેલ દીવાળીના ખાસ અંકમાં આપેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org