________________
જૈનદર્શન
-
સામાન્ય. દરેક વ્યક્તિમાં એક સરખી જે પ્રતીતિ થાય તેના વિષયને તિર્યક-સામાન્ય સમજવું. જેવી રીતે મનુષ્યના સમુદાયને જોઈને આ મનુષ્ય છે, આ મનુષ્ય છે એવી જ એકસરખી પરિણતિ માલૂમ પડે તેને વિષય જે મનુષ્યત્વ તે તિર્યસામાન્ય કહેવાય.
ઉત્તરોત્તર અનુક્રમે થતા પર્યાયમાં અનુગતરૂપે રહેલ દ્રવ્યને ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે-જેમ સુવર્ણથી બનાવેલી વીંટી, તેના પછી તેનું બનાવેલું કડું, તેને બનેલ કરે એવી રીતે ઉત્તરોત્તર અનુક્રમે બનતા પર્યામાં સુવ
દ્રવ્ય તે બરાબર છે. જો કે આકાર-પર્યાયે બદલાતા ગયા તે પણ મૂળદ્રવ્ય કાયમ રહેવાથી સુવર્ણરૂપ મૂળદ્રવ્યને ઊર્વિતાસામાન્ય કહેવામાં આવે છે. એવી રીતે મારી વિગેરે મૂળદ્રવ્યમાં પણ સમજવું.
વિશેષનું નિરૂપણ વિશેષના બે ભેદ છે. એક ગુણ અને બીજો પર્યાય. સહભાવી ધર્મને ગુણ કહેવામાં આવે છે–જેમ આત્મામાં ચિતન્યશકિત, દર્શનશક્તિ, ચારિત્રશકિત વિગેરે. પુદ્ગલમાં રૂપાદિગુણ વિગેરે. અનુક્રમે એક પછી એક એવી રીતે પેદા થતા ધર્મને પર્યાય કહેવામાં આવે છે-જેમ આત્મામાં સુખ-દુખ. વિગેરે. તથા સુવર્ણથી વીંટી બનાવવામાં આવી હોય તે સુવથી બનતા કડાં, કદરા વિગેરે તેના પર્યાય સમજવા.
સત, અસતનું સ્વરૂપ સમગીપ્રદીપમાં બતાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org