________________
તત્વાખ્યાન.
પશ્ચાત અવયવે નહિ દેખાતા હોવાથી પૈગલિક નથી એમ કહે છે? અથવા આકાશને ગુણ હેવાથી પગલિક નથી એમ કહો છો? આ ચારમાંથી પ્રથમ પક્ષ તે આપનાથી માન્ય થઈ શકે તેમ નથી, કારણ કે શબ્દપર્યાયના આશ્રયરૂપ ભાષાવણદ્રામાં સ્પર્શને અભાવ કઈ પણ રીતે સિદ્ધ થાય તેમ નથી, એમ કરવાથી તે પરમાણુમાં સ્પર્શની ઉપલબ્ધિ પણ જ્યારે થતી નથી, તે શામાટે પરમાણુમાં પણ સ્પર્શ માનવે જોઈએ ? અને તેને અભાવમાં પરમાણુ પણ પદ્ગલિક નથી એમ કેમ ન કહી શકાય? કિચ, અનુમાન પણ શબ્દના આશ્રયમાં સ્પર્શ સિદ્ધ કરવા તૈયાર છે. ગન્ધના આધારદ્રવ્યની માફક દૂર રહેલાને પણ પવન અનુકૂલ હેવાથી ઇન્દ્રિય દ્વારા સ્પર્શની ઉપલબ્ધિ થાય છે અને પ્રતિકૂલ પવન થવાથી થતી નથી. તેમ નજીક રહેલા માટે પણ અનુકૂલ પ્રતિકૂળ પવન દ્વારા ઇન્દ્રિયથી પર્શની ઉપલબ્ધિ વિષયમાં જાણી લેવી. આથી એ સિદ્ધ થયું કે અવાજની સાથે સ્પર્શ પણ તેમાં માલુમ પડે છે, ત્યારે શબ્દના આધારને સ્પર્શ વિનાને કહે એ કેટલી બધી બુદ્ધિમત્તા કહેવાય? કદાચ આ દેષથી બચવાની ખાતર બીજા પક્ષને આશ્રય લેવામાં આવે છે તે પણ યુકત નથી, કારણકે તે પણ દેષગ્રસ્ત છે. જાતિવાળી કસ્તુરી, કપૂર, કાશ્મીરનું કેશર વિગેરે સુગન્ધિ દ્રવ્ય ઘરના ઓરડામાં બન્ય કરીને રાખેલ કપાટમાં પ્રવેશ કરે છે, અને તેની બહાર પણ નીકળે છે, પરતું તેથી પૈગલિક નથી એમ કહેવાને માટે તે કોઈપણ બુદ્ધિશાલી સાહસ કરી શકે જ નહિ. કિચ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org