________________
તન્વાખ્યાન,
પ્ર. વર્ણમાં જ્યારે અંનિત્યપણું સિદ્ધ થવું જ ઘણું મુશ્કેલી ભરેલું છે, ત્યારે પુદ્ગલથી બનેલ છે એમ કહેવાની તે વાત જ શી કરવી ? તેજ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. તે આ ગકાર છે, તે આ ઘટશબ્દ છે. એવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન જ શબ્દમાં નિત્યતા સિદ્ધ કરવા જ્યારે તૈયાર છે, ત્યારે અનિત્યતાની તો વાત જ શી કરવી? કિચ, હવે અનુમાન પ્રમાણ દ્વારા પણ શબ્દમાં નિત્યતાની સિદ્ધિ કરવામાં આવે છે. • શબ્દપણની માફક શ્રવણેન્દ્રિયદ્વારા સાંભળવાપણું હવાથી શબ્દ નિત્ય છે. બીજાને માટે તેનું જે ઉચ્ચારણ કરવું તે બીજા પ્રકારથી નહિ બની શકતું હોવાથી શબ્દ નિત્ય છે. આવા પ્રકારની અથપત્તિ પણ શબ્દમાં નિત્યતા સિદ્ધ કરી આપે છે. માટે શબ્દ પિગલિક નથી એ વાત ખૂબ દઢતાપૂર્વક મનમાં ધારી રાખવી, ( ઉ. પ્રદીપના પ્રત્યભિજ્ઞાનની માફક કથચિત્ અનિત્યપણાની સાથે અવિનાભાવને ભજવાવાળું પ્રત્યભિજ્ઞાન પણ શબ્દને એકાન્તથી એકસ્વરૂપ માનવાવાળાઓના મનમાં તે આ ગકાર છે, તે આ ઘટ શબ્દ છે એવા પ્રકારનું થઈ શકે જ નહિ કિન્તુ કંચિત્ અનિત્ય માનવામાં જ આ વાતની ઉત્પત્તિ થઈ શકે તેમ છે.
પ્રવે જે કર્થચિત્ અનિત્યપણમાં પ્રત્યભિજ્ઞાન થતું હોય તે આત્માની અંદર તે આ દેવદત્ત છે એવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ન થવું જોઈએ, કારણ કે આત્મા તે સર્વથા નિત્ય છે, એમ દરેક લોકો માને છે. માટે કહે કે પ્રત્યભિજ્ઞાનને લઇને શબ્દને નિત્ય માનવે એ જ સર્વોત્તમ વાત છે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org