________________
જૈનદર્શન.
૮૯
---
-
-
--
અવકાશ ન હોવાથી કેવળ ભવ્ય જીવોના કલ્યાણ માટે જ લેકાર દેશના આપી સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરવા સિવાય તેમને બીજે કઈ પણું ઉદ્દેશ હેતે નથી, માટે તે લેકત્તર આપ્ત છે. એથી વિપરીત આચરણવાળા અસંબદ્ધપ્રલાપીઓ પાસે તે આપ્તપણાની ગબ્ધ પણ કયાંથી હાઈ. શકે ? જ્યાં આપ્તપણું સંભવતું જ નથી ત્યાં તેમના ઉપદેશથી ભવ્ય જીનો ઉંદ્ધાર કેવી રીતે થાય તે સહજ સમજી શકાય તેમ છે. એ વાતને અનુભવ કૃતિ, સ્મૃતિ, વેદ વિગેરે ગ્રન્થ જેવાથી સ્વયમેવ થઈ શકે તેમ છે. કિચ, જ્યાં રાગદ્વેષનું પ્રબલ સામ્રાજ્ય હાય, ત્યાં પૂર્વાપરવિરુદ્ધ વાતનું નિરૂપણ હોય એમાં નવાઈ શાની? એમાં બિચારા તે લેકેને કંઈ પણ દોષ નથી, કિંતુ દેષમાત્ર મહારાજાને જ છે કે જેણે આવા પુરુષોને પણ છોડયા નહિ. સર્વજ્ઞ-વીતરાગ-આપ્તના વચનનું જે નિરીક્ષણ કરવું હોય તે આચારાંગ વિગેરે ગ્રન્થનું અવલોકન કરવું. અપરંચ, જે દુનિયામાં વીતરાગને દેવ તરીકે માનવામાં આવેલા હોય અને નિર્ગસ્થ વ્યક્તિને ગુરુ તરીકે માનવામાં આવેલ હોય અને અહિંસાત્મક જ ધર્મ હોય, તે દર્શનમાં અસત્યને અવકાશ હાય ખરે? અર્થાત્ બિલકુલ નહિ. ઉપર્યુકત આપ્તનું નિરૂપણ કર્યા બાદ હવે તેના વચનનું નિરૂપણ કરવામાં આવે છે–વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ, કૃતકન્ય, ઉદ્દેશ, સમુદેશ, શતક, પરિચ્છેદ, અધ્યાય વિગેરે સ્વરૂપ વાળું વચન સમજવું. તેમાં પુદ્ગલ દ્રવ્યથી નિષ્પન્ન અકાર વિગેરેને વણું કહેવામાં આવે છે. અર્થાત્ ભાષાવર્ગણાવ્યદ્રારા નિષ્પન્ન અકાર વિગેરે શબ્દને વર્ણ કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org