________________
૧૭
મારે નમસ્કાર છે. જૈન ધર્મના પરમ અનુરાગી અને એક ધુરધર જૈનાચાર્ય હેઈ કરીને પણ તેમના મનમંદિરમાં સમભાવ ઝૂલી રહ્યો છે એ શું બતાવે છે ? તેમના હૃદયની ઉદારતા-વિશાલતા, અન્ય દર્શનકારે તરફ તિરસ્કાર ન બતાવ અને મધ્યસ્થભાવ ધારણ કરે એ ઉચ્ચ કેટિને જૈન સિદ્ધાંત તેમની રગેરગમાં વ્યાપી ગયેલે હવે જોઈએ.
- આ તે વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં થઈ ગયેલા શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી હકીકત આપણે જોઈ. આ વાત અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહેપાધ્યાય શ્રીયશોવિજયજીના સંબંધમાં પણ જોઈ શકાય છે. કેમકે તેમના મુખ-ચન્દ્રમાંથી પણ એવી જ વચનામૃતની ધારા વહે છેરાનસારના ૧૬મા અષ્ટકમાં તેઓશ્રી કહે છે કે" स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । ન થવાપરવાનો વા, જિન મધ્યરથા શા છે.”
જ્ઞાનસાર, માધ્યશ્ચ–અષ્ટક, ૦ ૭. અર્થાત– અમે માત્ર રાગથી સ્વ (જૈન) આગમને આશ્રય કે માત્ર શ્રેષથી પર (જૈનેતર) આગમને ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દષ્ટિથી અવલોકન કરીને યથેચિત કરીએ છીએ.
વળી શ્રીમાન,ગસૂરિના સંબંધમાં કંઈક એરજ પ્રકારને મધ્યસ્થભાવ દષ્ટિ–ગોચર થાય છે. એ વાત તેમણે રચેલા “ભક્તામર-તેત્રના નિમ્ન-લિખિત કલેક ઉપરથી જોઈ શકાય છે. " बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात
त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org