________________
R.
તેમ છે જ નહિ, તથા સવથા અનિત્ય-ક્ષણિકરૂપે માનવાવાળા આદ્ધના મત પ્રમાણે પણ પ્રત્યભિજ્ઞાન વગેરે હેતુ વિરુદ્ધ સમજવા, જ્યારે તેમના મતમાં દરેક પદાર્થી ક્ષણિક છે અર્થાત્ સથા નિરન્વયનાશ-સ્વભાવવાળા છે, ત્યારે પુરુષના સથા નાશ થયા બાદ પ્રત્યભિજ્ઞાન વિગેરે હતુ કયાં રહેવાના ? માટે પુરુષની સથા નિત્યપણાની સિદ્ધિમાં અથવા અનિત્યપણાની સિદ્ધિમાં આપવામાં આવેલ જે પ્રત્યભિજ્ઞાન, તે ખરાખર ન ઘટતુ હોવાથી એવા હેતુએ વિરુદ્ધ જ સમજવા, કારણ કે પુરૂષ તે કથ'ચિત્ નિત્ય છે અને કોઇ અપેક્ષાએ અનિત્ય પણ છે. માટે સર્વથા નિત્ય યા અનિત્ય કાઇ પણ રીતે માની શકાય તેમ નથી. વિપક્ષના એકદેશમાં રહેવાવાળા અને પક્ષને વ્યાપક વિરુદ્ધ હેતુ, પક્ષ-વિપક્ષના એક દેશમાં રહેવાવાળા વિરુદ્ધ હેતુ, પક્ષના એકદેશમાં રહેવાવાળા અને વિપક્ષના વ્યાપક વિરુદ્ધ હેતુ, પક્ષના વ્યાપક અને વિપક્ષના એક દેશમાં રહેવાવાળા વિરુદ્ધ હેતુ, વિપક્ષને વ્યાપક અને પક્ષના એક દેશમાં રહેવાવાળા વિરુદ્ધ હેતુ એવી રીતે વિરુદ્ધના પણ ઘણા ભેદો છે.
તત્ત્વાખ્યાન.
અનેકાન્ત હેત્વાભાસનુ' સ્વરૂપ,
સાધ્યના અને સાધ્યના અભાવના અધિકરણમાં રહેવાવાળા હેતુને અનેકાન્તિક હેતુ કહેવામાં આવે છે, અથવા સાધ્યના અભાવના અધિકરણુમાં રહેવાપણુ નિશ્ચિત હોય યા તે સદિગ્ધ હોય તે પણ તે હેતુને અનેકાન્તિક સમજવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org