SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન, હેતુ કહેવાય. કાર્યપણું હેવાથી શબ્દ અનિત્ય છે. પ્રત્યભિજ્ઞાન હોવાથી આ વ્યક્તિ નિત્યજ છે. જે આ વ્યક્તિ સ્થિર એક સ્વભાવવાળી હોય તે સુષુપ્તિ અવસ્થામાં જેમ બાહા અર્થમાં પ્રવૃત્તિ થતી નથી, તેમ જાગૃદવસ્થામાં પણ ન થવી જોઈએ, અને તેના અભાવમાં પ્રત્યભિજ્ઞાન પણ ન થવું જોઈએ. એમ હેવા છતાં પણ પ્રત્યભિજ્ઞાન વિગેરે જે માનવામાં આવે તે સ્થિર કરવભાવપણું ક્યાંથી રહે તેને વિચાર કરશે. પુરૂષમાં પ્રવૃત્તિ કરવાપણું માનવું અને સ્થિર એક સ્વભાવ પણ માનવે; આ તે માતા વધ્યા જે ન્યાય કહેવાય, આ પુરુષમાં સર્વથા નિત્યપણું સિદ્ધ કરવામાં પ્રત્યભિજ્ઞાન વિગેરે વિરુદ્ધ હેતુ જાણવા. પ્રય અવસ્થાના ભેદને લઈને પ્રત્યભજ્ઞાન કરવામાં કંઈ પણ અડચણ ન હોવાથી શા માટે પુરુષમાં નિત્યપણું સિદ્ધ ન થાય ? ઉ૦ ઉપર્યુક્ત શંકા નિર્મુલ જ સમજવી, કારણ કે અવસ્થાવાળાથી અવસ્થાઓ ભિન્ન છે કે અભિન્ન ? એવા અનેક વિકપનું તેમાં ઉત્થાન થઈ શકે છે. કિચ, જ્યારે અવસ્થાભેદને લઈને આ વ્યવહારની ઉત્પત્તિ કરવા જશે ત્યારે સ્થિર એક સ્વભાવ તે આકાશમાં હવા ખાવા જવાને, કારણ કે અવસ્થાના ભેદથી તાદામ્યપણાને લઈને અવસ્થાવાળાને પણ ભેદ જરૂર માનવે પડશે અને જ્યારે તેને ભેદ થયે; ત્યારે અનિત્યપણું વિના ઈચ્છાએ પણ જરૂર માનવું પડશે. માટે પુરુષ સર્વથા નિત્ય છે, એમ તે બિલકુલ બેલાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy