________________
જૈનદર્શન.
૬
કઈ પણ વૃક્ષની ઉપલબ્ધિ નહિ હોવાથી આ પ્રદેશમાં આંબાનું ઝાડ ન લેવું જોઈએ. આ વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. “અંકુરા ઉગેલા બિલકુલ નહિ જોવામાં આવતા હોવાથી આ ઠેકાણે જેની શક્તિ નાશ પામેલી નથી એવું બીજ ન રહેવું જોઈએ. આ કાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. - “સમ્યગદર્શનને અભાવ હોવાથી આ વ્યક્તિમાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય વિગેરે પરિણામે ન હેવા જોઈએ. આ કારણનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું.
‘ચિત્રા-નક્ષત્રને ઉદય જોવામાં નહિ આવતું હોવાથી સુહુર્ત પછી સ્વાતિને ઉદય થશે નહિ” આ પૂર્વ ચરાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. “કૃત્તિકાને ઉદય નહિ હેવાથી મુહર્તની પહેલાં ભરણીને ઉદય ન હતું. આ ઉત્તરચરનું ઉદાહરણ જાણવું.
સમ્યગદર્શનની ઉપલબ્ધિ નહિ હોવાથી શિવજીમાં સમ્યગજ્ઞાન છે જ નહિ. આ સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ જાણવું.
હેત્વાભાસનું નિરૂપણ. ' હેતુ ન હોય તે પણ હેતુના જે જેમાં આભાસ માલૂમ પડે તે હેત્વાભાસ કહેવાય અર્થાત્ દુષ્ટહેતુને જ હેત્વાભાસ કહેવામાં આવે છે. તેના ત્રણ ભેદ છે. અસિદ્ધ હેતુ, વિરૂદ્ધ હેતુ અને અનેકાતિક હેતુ. આ ઠેકાણે અનેકાન્તહેતુને વ્યભિચારી હેતુ અર્થ સમજ. જ્યાં સ્વરૂપને અભાવ નિર્ણત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org