SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન, અગ્નિનું કાર્ય છે અને અગ્નિ ધૂમનું કારણ છે, માટે ધૂમ કાર્ય હેતુ કહેવાય. “વરસાદનાં કારણ વિશેષ પ્રકારનાં વાદળાં, ગરવ, વિજળીનું થવું વિગેરે અવ્યભિચારી ચિહનો જોવામાં આવતાં હવાથી આ ઠેકાણે વરસાદ જરૂર થવાને.” આ ઠેકાણે વરસાદ થવે તે કાર્ય છે અને વિશેષ પ્રકારનાં વાદળાં વિગેરે સામગ્રી કારણરૂપ છે. માટે આ કારણહેતુનું ઉદાહરણ સમજવું. તેવા પ્રકારને કૃત્તિકાને ઉદય થયેલ હોવાથી શકટને ઉદય જરૂર થવાને.” આ ઠેકાણે કૃત્તિકાને ઉદય થયા પછી એક મહત્ત માં જરૂર શકટને ઉદય થાય છે, માટે કૃત્તિકાને ઉદય પૂર્વ ચરહેતુ જાણકૃત્તિકાના ઉદયની પહેલાં ભરણીને ઉદય પ્રથમ થાય છે અને કૃત્તિકાને ઉદય તેના ઉત્તરકાલમાં થતું હોવાથી કૃત્તિકાને ઉદય ઉત્તરચરરૂપ હેતુ સમજ. અંધારામાં રહેલે મનુષ્ય કેરી ખાતાં ખાતાં અનુમાન કરે કે “સારી રીતે રસવિશેષને આસ્વાદ થતું હોવાથી આ કેરીની અંદર વિશેષ રૂપ પણ હોવું જોઈએ. આ ઠેકાણે રૂપ અને રસનું સાથે થવાપણું હોવાથી આ સહચરહેતુનું ઉદાહરણ સમજવું. નિષેધરૂપે સાધ્યને સિદ્ધ કરવાવાળા વિધિરૂપ સાધનના છ ભેદ છે. સ્વભાવ, વ્યાય, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર. “વસ્તુની અંદર અનેકાન્ત સ્વરૂપ ઉપલબ્ધ થતું હોવાથી સર્વથા એકાન્ત સ્વરૂપવાળી વરતુ જગતમાં કોઈ પણ છે જ નહિ? આ ઠેકાણે નિષેધરૂપથી સાધ્યને સિદ્ધ કરવાવાળે વિધિસાધન સ્વભાવહેતુ સમજ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy