SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન, આવે છે, માટે તે કપાલદશા ઘટના પ્રäસાભાવરૂપ સમજવી અર્થાત્ કપાલની આવિર્ભાવદશામાં ઘટને જે તિભાવ જેવામાં આવે છે, તે કપાલના આવિર્ભાવને ઘટના પ્રર્વસાભાવરૂપ સમજ. એક સ્વભાવથી બીજા સ્વભાવની જે વ્યાવૃત્તિ કરવી તે ઇતરેતરાભાવ કહેવાય. જેમ સ્તંભના સ્વભાવથી ઘટને સ્વભાવ ભિન્નરૂપે જોવામાં આવે છે, માટે ઘટથી સ્તંભ ભિન્ન છે, અર્થાત રતંભ છે તે ઘટ નથી. આ ઠેકાણે ઘટને અન્યાભાવ તંભમાં છે અને સ્તંભને ઘટમાં છે. આવી રીતે દરેક ઠેકાણે સમજવું. ત્રણ કાલની અપેક્ષાએ જેના તાદામ્ય પરિણામની નિવૃત્તિ જેમાં જોવામાં આવે ત્યાં તેને અત્યન્તાભાવ સમજ. જેમ ચિંતનને અચેતનમાં અને અચેતનને ચેતનમાં, ભવ્યત્વને અભવ્યત્વમાં અને અભવ્યત્વને ભવ્યત્વમાં. એમ સર્વત્ર સમજવું. હવે પ્રકૃતમાં હેતુનું નિરૂપણ જે ચાલતું હતું તે સમજાવવામાં આવે છે.-- સાધ્યની સાથે સંબન્ધ ધરાવનાર અવિરૂદ્ધ એવા વિધિસાધક હેતુના છ ભેદો છે. વ્યાપ્યોતુ, કાય હેતુ, કારણુંહતુ, પૂર્વચરહેતુ, ઉત્તરચર હેતુ અને સહચર હતું. વિના પ્રયત્ન ઉત્પન્ન નહિ થતું હોવાથી શબ્દ પુગલ પરિણામરૂપથી અનિત્ય છે, ઘટની માફક આ ઠેકાણે પુદ્દગલપરિણામરૂપ અનિત્યપણે વ્યાપક છે અને કાર્યપણું થાય છે. આ વ્યાખ્યતનું ઉદાહરણ સમજવું. “ધૂમ હોવાથી પર્વત અનિવાગે છે? આ ઠેકાણે ધૂમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy