________________
જૈનદર્શન.
વાય. જ્યારે આ ઠેકાણે ધૂમ છે ત્યારે જરૂર અગ્નિ હાવા જોઇએ. અર્થાત્ ધૂમથી અગ્નિના પક્ષમાં જે નિર્ણય કરવા તે નિગમન કહેવાય. આ પાંચ અવયવા એક ઉદાહરણમાં ઘટાવવામાં આવે છે. વનસ્પતિયે સચેતન છે આવી પ્રતિજ્ઞા કર્યા બાદ શિષ્યે પ્રશ્ન કર્યાં જે શાથી વનસ્પતિયે સચેતન છે ? ત્યારે ગુરૂએ ઉત્તરમાં હૅતુવાકયદ્વારા સમજાવ્યું કે પ્રાણ વિગેરે જીવનનાં ચિહ્ન માલૂમ પડતાં હોવાથી. પાંચ ઇન્દ્રિયા, માનસિક શકિત, વાચિકશકિત, કાયિક શક્તિ, શ્ર્વાસોચ્છવાસ અને આસુષુ આ દશને જૈનશાસ્ત્રમાં પ્રાણસ’જ્ઞા આપવામાં આવી છે. તેમાં એકેન્દ્રિય જીવાને તેમાંથી ચાર પ્રાણ હોય છે, એઇન્દ્રિય જીવને છ પ્રાણુ, ત્રણ ઇન્દ્રિયવાળાને સાત પ્રાણ, ચતુરિન્દ્રિયવાળાને આઠ પ્રાણ, મન સિવાયના પ`ચેન્દ્રિયને નવ પ્રાણ અને મનસહિત પંચેન્દ્રિયવાળાને દશ પ્રાણ હોય છે. તેમાં પ્રકૃતમાં વનસ્પતિના જીવા એકેન્દ્રિયવાળા હોવાથી તેમાં ચાર પ્રાણ છે. આ પ્રકારનું હેતુવાકય સાંભળી મ’બુદ્ધિવાળાના મનમાં ખ્યાલ નહિ આવવાથી ફરીથી પ્રશ્ન કર્યો કે કાની માફક ? ત્યારે તેના ઉત્તરમાં જણાવવામાં આવ્યું કે જ્યાં જ્યાં જીવનનાં ચિલ્ડ્રના પ્રાણ વિગેરે જોવામાં આવે છે, ત્યાં ત્યાં સચેતન—– પણું અવશ્ય જોવામાં આવે છે, જેમ મનુષ્ય વગેરે. આ મનુષ્યરૂપ દૃષ્ટાન્તમાં ઇન્દ્રિયા વિગેરે જીવનનાં ચિહ્નરૂપ પ્રાણા જેવામાં આવતા હોવાથી સચેતનપણું પણુ જરૂર જોવામાં આવે છે; તેમ વનસ્પતિમાં પણ જીવનના ચિહ્નભૂત પ્રાણા જોવામાં આવતા હાવાથી સચેતનપણું પણ હોવુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org