________________
જૈનદર્શન.
S
જય જે ધમિ હોય તે વિકલ્પસિદ્ધ ધર્મ સમજવું. પ્રત્યક્ષ વિગેરે કઈ પણ પ્રમાણ દ્વારા નિર્ણય કરેલા ધમિને પ્રસિદ્ધ ધમિ કહેવામાં આવે છે, અને વિકલ્પ તથા પ્રમાણે આ બેથી જેની પ્રસિદ્ધિ હોય તે ઉભયસિદ્ધ સમજે. હવે અનુક્રમે તમામનાં ઉદાહરણ આપવામાં આવે છે. સર્વજ્ઞનું અસ્તિપણું અનુમાનની પૂર્વમાં પ્રત્યક્ષ વિગેરે પ્રમાણથી સિદ્ધ નથી, કિન્તુ પ્રતીતિમાત્ર સિદ્ધ છે અર્થાત કેવલ બુદ્ધિ વિષય માત્ર હોવાથી સર્વજ્ઞરૂપ ધર્મને વિકલ્પસિદ્ધ સમજ. આ પર્વત અગ્નિવાળે છે–આ ઠેકાણે પર્વતરૂપ ધર્મિ પ્રત્યક્ષપ્રમાણુ દ્વારા પ્રસિદ્ધ હોવાથી તેને પ્રમાણસિદ્ધ સમજ. કાર્યપણું હોવાથી શબ્દ પરિણામી છે, આ ઠેકાણે વિદ્યમાન શબ્દ તે પ્રત્યક્ષથી જાણી શકાય તેમ છે, પરંતુ ભૂત-ભવિષ્યકાલના શબ્દ વિકલ્પગમ્ય હોવાથી સામાન્ય રીતે શબ્દરૂપ ધર્મિને ઉભયસિદ્ધ સમજવે. - હવે અનુમાનને નિષ્કર્ષ સમજાવવામાં આવે છે–
બીજાએ બતાવેલ સાધન પ્રયોગ વિગેરેની અપેક્ષા સિવાય પિતાની મેળે નિર્ણત જે અવિનાભાવ સંબન્ધ અને સાધન આ બે દ્વારા સાધ્યનું જે જ્ઞાન કરવું તે સ્વાર્થીનુ માન સમજવું.
પક્ષપ્રગ-હેતુને પ્રગ–એ દ્વારા બીજાને જે સાધ્યનું જ્ઞાન કરાવવું તે પરાર્થીનુમાન કહેવાય. અર્થાત્ પક્ષવચન અને હેતુવચન આ બે દ્વારા બીજાને સાધ્યનું જ્ઞાન કરાવવું તે પરાર્થોનુમાન સમજવું. વ્યુત્પનમતિવાળાને પાંચ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org