________________
પદ
તત્ત્વાખ્યાન,
w
તૈયાયિક લેકેએ કપેલાં પાંચ રૂપિ જેમાં હોય તે હેતુ સાચે કહેવાય એ કથન દૂષણગ્રસ્ત હોવાથી અનાદરણુય સમજવું. તેનું પ્રતિપાદન પૂર્વાર્ધમાં સારી રીતે કરવામાં આવેલ છે.
" સાધ્યનું સ્વરૂપ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી જે બાધિત ન હોય અને નિશ્ચિત પણ પ્રથમ ન હોય તથા સાધ્યરૂપે જે ઈષ્ટ હોય તે સાચું સાધ્ય કહેવાય; તેથી એ પણ સમજવાનું છે કે શંકિત, વિપરીત, અનધ્યવસિત તથા પ્રમાણેથી બાધિત હોય તે સાધ્યરૂપે લેખાય નહિ, અને વ્યાપ્તિના ગ્રહણ સમયમાં સિદ્ધ હોય તે પણ સાધ્યરૂપ મનાય નહિ; આથી એ પણ વ્યક્ત થાય છે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિની માફક પર્વત પણ હોવો જોઈએ એવો નિયમ નથી.
ધર્મિ(પક્ષ)નું સ્વરૂપ, અનુમાનથી ઉત્પન્ન થયેલ પ્રમિતિના વિષયરૂપ અને વ્યાપ્તિકાલની અપેક્ષાએ સાધ્યપણુએ અભિમત ધર્મથી જે યુક્ત હોય તે ધમિ કહેવાય. તે ધર્મિની પ્રસિદ્ધિ કે ઠેકાણે વિકલ્પથી અને કઈ ઠેકાણે પ્રમાણુથી તથા કોઈ ઠેકાણે ઉભયથી પણ જોવામાં આવે છે. અનુમાનથી પ્રથમ પ્રમાણ અથવા અપ્રમાણદ્વારા જ્ઞાનના વિષયરૂપે જેને નિર્ણય કરવામાં આવ્યું નથી અર્થાત અનુમાનની પૂર્વમાં પ્રમાણ અથવા અપ્રમાણુદ્વારા નિર્ણય કર્યા સિવાય કેવલ પ્રતીતિ વિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org