________________
જૈનદર્શન
- ૫૩
તકપ્રમાણુનું નિરૂપણ. વ્યાપ્તિજ્ઞાનના ગ્રાહકને તર્ક કહેવામાં આવે છે. તે તર્ક તમામ દેશ-કાલને અવલંબીને વ્યાતિજ્ઞાન કરાવે છે. દષ્ટાન્ડ તરીકે જે જે ઠેકાણે ધૂમ હેય તે તમામ ઠેકાણે અગ્નિ હવે જોઈએ, કારણ કે જે ઠેકાણે અગ્નિ હેતે નથી તે ઠેકાણે ધૂમ ઉત્પન્ન થાય તે અગ્નિ ધૂમનું કારણ છે અને ધૂમ અગ્નિનું કાર્ય છે આ જે અનુભવસિદ્ધ કાર્યકારણભાવ વ્યવહાર છે, તેને જગતમાંથી ઉચ્છેદ થવાને. આ વાત તર્કને પ્રમાણ માન્યા સિવાય કેવી રીતે ઘટી શકે તેને વિચાર કરશે. આથી એ ભાવ નીકળે કે દરેક દેશમાં અને દરેક કાળમાં રહેલું અગ્નિ અને ધૂમના વ્યાપ્યવ્યાપક નામના સંબન્ધનું જ્ઞાન, તકને સ્વતંત્ર પ્રમાણ માન્યા સિવાય થઈ શકે નહિ. જે તર્કને અપ્રમાણરૂપ માનવામાં આવે છે તે દ્વારા સર્વદેશવિષયક અને સર્વકાલવિષયક થતું જે વ્યાપ્તિજ્ઞાન તે પણ અપ્રમાણરૂપ જ ઠરવાનું કારણ કે જેનું કારણ અપ્રમાણરૂપ હોય તે કાર્ય પિતે પ્રામાણિક છે, એમ કેવી રીતે માની શકાય? અને તેવા અપ્રામાણિક વ્યાતિજ્ઞાન દ્વારા થતું જે અનુમાન તે પણ વધ્યાપુત્ર જેવું સમજવું. માટે તર્ક પણ સ્વતંત્ર પ્રમાણ છે એમ જરૂર માનવું જોઈએ.
હવે અનુમાન દ્વારા તર્કમાં પ્રમાણુતા સિદ્ધ કરવામાં આવે છે.
પ્રમાણુના વિષયને પરિશધન કરવાવાળે હેવાથી અનુમાનની માફક તર્ક પણ સ્વતંત્ર પ્રમાણરૂપ છે. જે પ્રમાણુના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org