________________
પર
તત્ત્વાખ્યાન,
ઉ. ગાયના જે આ રેઝ છે આવા પ્રકારના જ્ઞાનને ઉપમાન પ્રમાણરૂપ જ્યારે માનવામાં આવ્યું, ત્યારે ગાયથી વિલક્ષણ આ પાડે છે, ગર્દભથી વિલક્ષણ આ ઉંટ છે આવા પ્રકારના જ્ઞાન માટે બીજું કયું પ્રમાણમાનશે તેને પણ આપ લેકેને વિચાર જરૂર કરે પડશે. માટે ઉપમાન પ્રમાણને અલગ ન માનતાં તે બંને પ્રત્યભિજ્ઞાન પ્રમાણની અન્તર્ગત છે એમ માનવું અને તે સર્વોત્તમ લાગે છે.
પ્રરેઝને જોઈને ગાયના જેવી આ વ્યક્તિ છે, એવું જ્ઞાન છે કે પ્રત્યક્ષના ફળરૂપ છે, તે પણ સંજ્ઞાસંજ્ઞીના સંબન્ધના પ્રતિપત્તિરૂપ ફલ માટે ઉપમાન પ્રમાણ માનવાની આવશ્યકતા જરૂર રહે છે અર્થાત્ ગવયશબ્દ આ વ્યક્તિને વાચક છે અને આ વ્યક્તિ પોતે વાચ્ય છે એવું જ્ઞાન કરવા માટે ઉપમાન પ્રમાણને અલગ માનવામાં આવે છે.
ઉ. મહિષને જોઈને આ વ્યક્તિ ગાયથી વિલક્ષણ છે, એવું જ્ઞાન જે કે પ્રત્યક્ષનું ફળ છે તે પણ આ વ્યક્તિ ગાયથી વિલક્ષણ છે અર્થાત ગે શબ્દ આ વ્યક્તિને વાચક નથી તેમ તેવા પ્રકારનું વાપણું પણ તેમાં નથી આવા પ્રકારના સંજ્ઞાસંજ્ઞીના સંબન્ધના પ્રતિપત્તિરૂપ ફળ માટે જરૂર બીજું પ્રમાણ અલગ માનવું જ પડશે. એવી શી રાજાજ્ઞા છે, કે એક સંજ્ઞાસંજ્ઞીના સંબન્ધને જણાવવાની ખાતર પ્રમાણુનારની કલ્પના કરવી અને બીજાને માટે ન કરવી ? માટે આ તમામ દૂષણજાળમાંથી બચવા માટે પ્રત્યભિજ્ઞાનને જ પ્રમાણરૂપ માનવું સર્વોત્તમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org